News Continuous Bureau | Mumbai
Chhattisgarh Naxal Encounter : છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની સરહદમાં આજે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. નક્સલવાદીઓના ફાયરિંગનો પોલીસ જડબાતોડ જવાબ આપી રહી છે.
Chhattisgarh Naxal Encounter : નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
અહેવાલ છે કે નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના ડીઆરજી સાથે એસટીએફ-સીઆરપીએફની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝહમદ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં ગુરુવારે સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તે જ સમયે, પોલીસ જવાનો નક્સલીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet expansion: CM દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય, એકનાથ શિંદેના નજીકના વ્યક્તિને આ પદ પરથી હટાવ્યા; કરી નવી નિમણુંક…
Chhattisgarh Naxal Encounter :12 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા
એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસને 12 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. આ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ કમિટી લેવલનો એક નક્સલી માર્યો ગયો હોવાના અહેવાલ છે. સવારે 3 વાગ્યાથી ગોળીબાર સતત ચાલુ છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.