ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામું જમા કરાવી દીધું છે. પોતાના સોગન નામા માં તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર સપ્તાહના અંતમાં વિકેન્ડ કર્ફ્યુ લગાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત લોકડાઉન સંદર્ભે રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી.
રાજ્ય સરકારે કોર્ટ સામે સ્પષ્ટ કરી દીધું છે કે લોકો પોતાની મરજીથી એટલે કે સ્વયંભૂ નાઈટ કરફર્યું લગાડે. તેમજ સરકારી એ વાત સ્પષ્ટ કરી છે કે કચેરીઓમાં માત્ર 50 ટકા હાજરી રહેશે.
આમ રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.
