Site icon

CM Bhupendra Patel: ગુજરાતના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો

CM Bhupendra Patel: સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ – રિજિયોનલ સ્તરે ૩૯ ટીમો ઝુંબેશમાં જોડાઈ. એકત્ર કરાયેલા બિયારણના ૫૨૪ - ખાતરના ૧૦૫ - દવાના ૮૨ એમ ૭૧૧ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા. ૪૮૩ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી, બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ. ૬.૧૫ કરોડની કિંમતનો જથ્થો અટકાવવામાં આવ્યો.

Clear directions of Chief Minister Shri Bhupendra Patel to ensure that the citizens of the gujarat get quality fertilizers-seeds-medicine

Clear directions of Chief Minister Shri Bhupendra Patel to ensure that the citizens of the gujarat get quality fertilizers-seeds-medicine

News Continuous Bureau | Mumbai 

CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને ( farmers ) બિયારણ, ખાતર ( fertilizer ) અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને ( Agriculture Department ) આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.

Join Our WhatsApp Community

 આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી.

 ગુજરાતના ( Gujarat ) અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૫૯ ઉત્પાદકો તેમજ બિયારણના ૮૪૮, ખાતરના ૫૪૭ અને દવાના ૭૫૦ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લેવામાં આવી હતી.

 આ મુલાકાત દરમિયાન બિયારણના ૫૨૪, ખાતરના ૧૦૫ અને દવાના ૮૨ એમ કુલ ૭૧૧ નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા.

 આ જે ૭૧૧ નમૂના એકત્ર કરવામાં આવેલા તેમાં કપાસના ૩૨૪ નમૂના લેવાયા હતા. તેમાંથી ૧૧૬ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Rain: મુંબઈમાં આજ રાતથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું..

 એટલું જ નહીં, સાબરકાંઠા ( Sabarkantha ) જિલ્લામાં લેવાયેલા કપાસના ૨૪ નમૂના પૈકીના ૧૯ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાયા હતા.

અત્યાર સુધીમાં ૧૧૦ આવા નમૂનાઓના થયેલા પૃથ્થકરણમાં ૧૦૧ પ્રમાણિત અને ૯ બિન પ્રમાણિત જણાયા છે. ૬૩૪ નમૂનાઓનું પૃથ્થકરણ પ્રગતિમાં છે.

આ સઘન ચકાસણી ઝુંબેશ ( verification campaign ) દરમિયાન અંદાજે ૬.૧૫ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૧,૩૯,૯૭૦ કિલોગ્રામ, ખાતરનો ૧૭૫ મેટ્રિક ટન અને દવાઓનો ૧૩૨૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.

 એટલું જ નહીં, આ રાજ્યવ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન રાજ્ય સ્તરીય ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૪૮૩ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version