Site icon

ઉદ્ધવ ઠાકરે બેવડી રીતે ફસાયા-જે પદાધિકારીની પક્ષમાંથ હકાલપટ્ટી કરી-તેની શિંદેએ પાછી પદ પર નિમણૂક કરી-હવે એ વ્યક્તિ શિવસેનાના પદ પર કહેવાય કે નહીં

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેના(Shivsena) સામે બળવો કર્યા બાદ થાણેના ભૂતપૂર્વ મેયર(Former Mayor) નરેશ મ્હસ્કે(Naresh Mhske) શિવસેનાના જિલ્લા પ્રમુખ(Shiv Sena district president) પદેથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) હકાલપટ્ટી કરી હતી. જોકે આ હકાલપટ્ટીને ગેરકાયદે ગણાવીને મુખ્ય પ્રધાન(CM) બની ગયેલા એકનાથ શિંદેએ મ્હસ્કેની ફરી જિલ્લા પ્રમુખ પદ પર જ નિમણૂક કરી છે. તેથી હવે આ વ્યક્તિ શિવસેના પદ પર કહેવાય કે નહીં તેની મૂંઝવણ પક્ષના કાર્યકર્તાઓને થઈ રહી છે.

Join Our WhatsApp Community

નરેશ મ્હસ્કે ગુરુવારે મોડી રાતે એકનાથ શિંદેને તેમના સરકારી નિવાસસ્થાન પર મળવા ગયા હતા. એ દરમિયાન શિંદએ તેમને ફરી થાણે જિલ્લાના(Thane district) પ્રમુખ પદ બનાવી દીધા છે. પદાધિકારીની નિમણૂક કરવાનો અધિકાર એ પક્ષ પ્રમુખને હોય  છે. તેથી નરેશ મ્હસ્કેની ફરી નિમણૂક બાદ શિવસેના પ્રમુખ ઠાકરે શું પગલાં લેય છે તે જોવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : વારંવાર હિન્દુઓ અને હિંદી ભાષાનો વિરોધ કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન  હોસ્પીટલમાં દાખલ થયા-આવી છે હાલત

આ દરમિયાન શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ફરી પડકાર ફેંકતા હોય તેમ હિંદુત્વવાદી(Hinduism) વિચારોને અમલ મુકનારા કટ્ટર શિવસૈનિકોને પદ પરથી હટાવવાનો સામનાને કોઈ અધિકાર નથી કહીને જિલ્લાપ્રમુખોને ફરી કામે ચઢવાનો આદેશ આપ્યો હતો.
 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version