News Continuous Bureau | Mumbai
રાજકીય ઉથલપાથલ(Maharshtra political crisis) વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)એ 5 કલાકે ફેસબુક લાઈવ(Facebook Live) કરીને જનતાને સંબોધન કર્યું હતું.
CM ઉદ્ધવ ઠાકરેએ આ લાઈવ સંબોધનની શરૂઆત કોરોના મહામારી સામે છેલ્લા બે વર્ષમાં લડેલ લડાઈથી શરૂ કરી હતી. આગળ તેમણે કહ્યું કે હિન્દુત્વ(Hindutva) અંગે મારે કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી. હિન્દુત્વ અંગે મહારાષ્ટ્રની વિધાનસભા(Maharashtra assembly) માં બોલનાર હું પહેલો મુખ્યમંત્રી હતો. સાથે તેમણે ઉમેર્યું હતુ કે શિવસેના એટલે જ હિન્દુત્વ હતુ, છે અને રહશે. અમે ક્યારેય હિંદુત્વ છોડ્યું નથી. જે લોકો આરોપ લગાવે છે કે આ બાલાસાહેબ(BalaSaheb Thacekray)ની શિવસેના(shivsena) નથી તેમને જવાબ આપું છું કે કોઈ એમ કહેશે કે હું પસંદ નથી તો શિવસેનાનું પ્રમુખ પદ(Shivsena Chief Post) પણ છોડી દઈશ. પરંતુ હું કોઈથી ડરીશ નહીં, શિવસેનાનો કાર્યકર્તા છું.
આ સમાચાર પણ વાંચો : રાજનૈતિક દાવપેચ શરૂ- એક તરફ શિવસેનાએ મિટિંગ બોલાવી તો બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કરી આ મોટી ઘોષણા
એકનાથ શિંદે(Rebel MLA Eknath Shinde)ના બળવા પર બોલતા ઠાકરેએ કહ્યું કે હું મુખ્યમંત્રી(CM) તરીકે પસંદ નહોતો તો કહી દેવુ જોઈતું હતું ને સુરત(Surat) જવાની ક્યાં જરૂર હતી. હું ગમે ત્યારે મુખ્યમંત્રી પદેથી હટવા તૈયાર છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સુરત અને ગુવાહાટી(Guvahati) જઈને રાજીનામું(resign) કેમ માગો છે, સુરતમાં જવાના સ્થાને મારી સાથે વાત કરવાની જરૂર હતી.
શિંદે સાથે બાગી થઈને ગુવાહાટી ગયેલ અનેક ધારાસભ્યો(MLAs) હજી પણ પરત આવવા માંગે છે. કોંગ્રેસ(Congress) તરફથી કમલનાથે(kamalnath) મને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યો છે અને પવાર(Sharad Pawar) સાહેબે પણ સ્વીકાર્યો છે. તમારી જે પણ સમસ્યાઓ છે મારી સમક્ષ આવીને કહો. હું બાળાસાહેબનો શિવસૈનિક છું, સામી છાતીએ લડીશ. એટલું જ નહિ હું શિવસેનાના વડાનું પદ પણ છોડવા તૈયાર છું પરંતુ સામે આવીને વાત કરો. તમે પોતાના છો, માંગ કરો, હું બધું ત્યજી દેવા તૈયાર છું. પદ તો આવે છે અને જાય છે ઈજ્જત જ સાચી કમાઈ છે. સત્તા જશે તો પણ જનતા પાસે જઈને વોટ માંગીશ.
