શહેરીજનોને હાશકારો- આ માનવભક્ષી વાઘ આખરે ઝડપાયો- 13 લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ(Maharashtra forest department)ની ટીમે ગુરુવારે આખરે  એક મહિના બાદ માનવભક્ષી વાઘ સીટી-1 પકડી લીધો છે.  

વાઘને વન વિભાગની ટીમ દ્વારા વડસા ફોરેસ્ટ રેન્જ(Vadsa Forest Range)માં બેભાનનું ઇન્જેક્શન આપીને પકડવામાં આવ્યો છે

આ પછી વાઘને પુનર્વસન માટે નાગપુર(Nagpur)ના ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટર મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ માનવભક્ષી વાઘે  વિદર્ભ વિસ્તારમાં 13 લોકોને શિકાર બનાવીને મારી નાખ્યા હતા. 

આ પછી નાગપુરના મુખ્ય મુખ્ય વન સંરક્ષકે 4 ઓક્ટોબરના રોજ એક બેઠકમાં વાઘ સીટી-1ને પકડવાના આદેશ આપ્યા હતા

આદેશ બાદ તાડોબા ટાઈગર રેસ્ક્યુ ટીમ, ચંદ્રપુરની રેપિડ રિસ્પોન્સ ટીમ, નવાગાંવ-નાગજીરા અને અન્ય એકમોએ વાઘને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધડબડાટી- આ વિસ્તારોમાં ભારે વરસાદ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More