Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યસભાની ચૂંટણી મુદ્દે ભાજપે શતરંજની ચાલ બિછાવી, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું રાજીનામું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

4 જુન 2020

કોરોના અને લોકડાઉનની નિરસતા વચ્ચે રાજ્ય સભાની ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. સૂત્રોના કહેવા મુજબ અક્ષય પટેલ પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા. બીજી બાજુ વધુ બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી સંભાવના છે. જોકે અત્યાર સુધી કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો પહેલાં જ રાજીનામું આપી ચૂક્યા છે. આમ ગુજરાતની રાજકીય ઊથલપાથલ માં કોંગ્રેસે રાજ્યસભાની એક વધુ બેઠક ગુમાવવી પડે એવા સંજોગો ઊભા થયા છે, તો ભાજપ હંમેશની જેમ જીતની મુદ્રામાં છે. ભાજપ રાજ્ય સભા ની ત્રીજી બેઠક જીતવા ની નજીક છે. સામી બાજુ ગુજરાતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી ભાજપ પર ચૂંટણી પહેલા ધારાસભ્યોની ખરીદી કરવાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય છે કે બુધવારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની મુલાકાત લીધી હતી. જોકે આ મુલાકાતને રાજ્ય સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

કોંગ્રેસે રાજ્ય સભાની સીટ ગુમાવી પડવાના કારણો નું પૃથક્કરણ કરતા જણાયું કે 

# કોંગ્રેસમાં બંને ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ છે.

# બી.ટી.પી ના બે વોટ મળે તો જ કોંગ્રેસ જીતી શકે.

# અક્ષય પટેલ ના રાજીનામાંથી કોંગ્રેસની એક હાર પાક્કી.

# કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 67 થયું. 

# કોંગ્રેસ ને જીતવા માટે 70 વૉટની જરૂર છે.

આમ રાજ્યસભાની મુદ્દે ગુજરાતમાં ભાજપે બરાબરની શતરંજની ચાલ ગોઠવી છે

જ્યારે આ મુદ્દે પ્રદેશ અધ્યક્ષએ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંની વાત પાયા વિહોણી હોવાનું જણાવ્યું છે..

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version