Site icon

હેં! કોંગ્રેસના આ નેતાએ માંગ્યુ ઈચ્છા મૃત્યુ, સોનિયા ગાંધીને પત્ર લખી કર્યા આ નેતાઓ સામે ગંભીર આરોપ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

રાજસ્થાનના હરદોઈના એક નેતાએ કોંગ્રેસના એક્ઝીક્યુટીવ પ્રેસીડન્ટ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, જેને કારણે રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના આ નેતાએ પત્ર લખીને પતિ, પત્ની અને પૌત્રને ઈચ્છા મૃત્યુ માટે રાજસ્થાન સરકાર પાસે મંજૂરી લઈ આપવાની માગણી કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને આ નેતાએ કહ્યું છે કે તેમના પુત્ર, પુત્રવધુને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને આ બધુ ત્યારે થયું જયારે રાહુલ ગાંધી અને સચિન પાયલટે ત્યાં આત્મહત્યાને હત્યાનું સ્વરૂપ આપ્યું હતું.

મૂળ હરદોઈના નિવાસી શ્યામપ્રકાશ શુકલા કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. પક્ષમાં તેમણે અનેક પદ પર જવાબદારી સંભાળી હતી. તેમણે આરોપ કર્યો છે કે રાજસ્થાન સરકાર તેમના પુત્ર પ્રજ્ઞા પ્રતિક શુકલા અને પુત્રવધુ વહુ  પ્રિયાની જામીન થવા દેતી નથી. શ્યામપ્રસાદે વિધાનભવનમાં જઈને આત્મહત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળ ઘેરાયા, 8 પોલીસ કર્મચારી સહિત આટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ; જાણો વિગતે

કોંગ્રેસના આ નેતાના કહેવા મુજબ તેમનો પુત્ર પ્રજ્ઞાપ્રતિક બિકાનેરમાં કોલેજમાં પ્રિન્સીપાલ હતો અને પુત્રવધુ પ્રોફેસર હતી. આ કોલેજમાં એક યુવતીએ 27 માર્ચ 2016માં આત્મહત્યા કરી હતી, તેની માટે તેમના પુત્ર અને પુત્રવધુને જવાબદાર ગણીને જેલમાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version