155
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
કોંગ્રેસ મહારાષ્ટ્રમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીને નંબર વન બનાવવા માટે અથાક મહેનત કરી રહી છે.
આ જ ક્રમમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ ડૉ. અમરજીત સિંહ મનહાસેએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી છે.
આ દરમિયાન તેમણે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ખજાનચી પવન બંસલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તારિક અનવરની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં અમરજીત સિંહ મનહાસેએ તમામ મહાનુભાવો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને રાજ્યની આગામી નગરપાલિકાની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમિયાન વારકરી સાહિત્ય પરિષદના પ્રમુખ વિઠ્ઠલ પાટીલ, મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શિવાજી સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
You Might Be Interested In