Malegaon News: કેરિયર ગાઈડન્સના નામે વિદ્યાર્થીઓનું ધર્માંતરણ? હિન્દુત્વવાદી સંગઠનોનો આરોપ, માલેગાંવમાં સંગઠન વિરુદ્ધ કેસ દાખલ

Malegaon News: હિન્દુત્વવાદી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે સત્ય મલિક ઇન્સ્ટિટ્યૂટ કરિયર ગાઇડન્સના નામે વિદ્યાર્થીઓને ધર્માંતરણના પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે સંસ્થા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

by Dr. Mayur Parikh
Conversion lessons to students in the name of career guidance? Accusation of Hindutva organizations, case filed against organization in Malegaon

News Continuous Bureau | Mumbai

માલેગાંવ માં હિન્દુત્વવાદી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે ‘સત્ય મલિક’ સંસ્થા કારકિર્દી માર્ગદર્શનના નામે વિદ્યાર્થીઓને ધર્માંતરણના પાઠ આપવાનો પ્રયાસ કરી રહી છે. મસાગા કોલેજમાં બનેલી ઘટનાની પાલક મંત્રી દાદા ભુસેએ નોંધ લીધી છે. તેમજ આ સંસ્થા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

માલેગાંવમાં ‘કારકિર્દી માર્ગદર્શન’ના નામે વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ અને ધર્માંતરણના પાઠ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે, હિન્દુત્વવાદી સંગઠનોએ મસાગાના સ્થળ પર હંગામો કર્યો હતો. નાસિકના પાલક મંત્રી દાદા ભુસેએ આરોપ લગાવ્યો છે કે આ સંસ્થા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં વિલંબ થયો હતો અને આ ઘટના બાદ પોલીસ પ્રશાસન દબાણ હેઠળ કામ કરી રહ્યું હતું. ઉપરાંત, તે સીધો માલેગાંવ કેમ્પ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ પ્રશાસનને આડે હાથે લીધુ હતુ. આ પછી, આ અંગે સંસ્થા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

માલેગાંવમાં ‘કારકિર્દી માર્ગદર્શન’ના નામે વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ અને ધર્માંતરણના પાઠ

પુણેના ‘સત્ય મલિક લોક સેવા ગ્રુપ’ દ્વારા પુણેની મસાગા કોલેજમાં ભારતીય છાત્ર સેના (NCC) દ્વારા અગિયારમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે ‘કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તાઓ પર સૌપ્રથમ અન્ય ધર્મના બાળકોને ‘કુરાન’ની કલમો શીખવીને મુસ્લિમોની જેમ શિક્ષિત કરવા માટે લાલચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, હિન્દુત્વવાદી સંગઠનોએ સ્થળ પર ઘૂસીને કાર્યક્રમને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો, આરોપ લગાવ્યો કે ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને કારણે નાશિકના માલેગાંવમાં થોડા સમય માટે તંગદિલી છવાઈ ગઈ હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. હાલ નાશિકમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

માલેગાવના મામલે પાલક મંત્રી દાદા ભુસેએ મામલાનો દોર સંભાળી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે લેક્ચરરો સહિત આયોજકોની અટકાયત કરી હતી. જોકે પોલીસ પ્રશાસન દ્વારા કેસ દાખલ કરવામાં મોડું થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજ પ્રશાસન મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો આરોપ લગાવતા, નારાજ પાલક મંત્રી દાદા ભુસે સીધા જ માલેગાંવ કેમ્પ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને 2 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા. હકીકત પોલીસના ધ્યાન પર લાવતા પોલીસ પ્રશાસનને કાર્યવાહી ચાલુ કરી દીઘી હતી. તેમજ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો ફોન પર સંપર્ક કરીને ઉંડાણપૂર્વક તપાસની માંગણી કરી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશન આગળ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઘટનાની નોંધ લેતા, કોલેજ પ્રશાસને કાર્યક્રમનું આયોજન કરતી વખતે મેનેજમેન્ટની પરવાનગી ન લેવા બદલ કોલેજના આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન, મંત્રી દાદા ભુસેએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધા બાદ પોલીસે મોડી રાત સુધી કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા અને કાર્યક્રમના આયોજકો અને વ્યાખ્યાતાઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Slum Rehabilitation Scheme- મુંબઈગરાઓ માટે સારા સમાચાર! જો તમે પણ ‘આ’ વિસ્તારમાં રહેતા હોવ તો મળશે મકાન, રાજ્ય સરકારનો નિર્ણય

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More