Chhattisgarh: છત્તીસગઢમાં ધર્માંતરણ અટકશે, હિન્દુત્વને મળશે બળ, સાંઈ સરકાર ટૂંક સમયમાં લાવશે આ નવો કાયદો.. જાણો આ અંગે કોંગ્રેસે શું કહ્યું?

Chhattisgarh: છત્તીસગઢના શિક્ષણ પ્રધાન બ્રિજમોહને વિધાનસભામાં કહ્યું કે રાજ્યની વસ્તીને નષ્ટ કરવા માટે ઘણી શક્તિઓ કામ કરી રહી છે. આવા લોકો માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેથી કાયદેસરના ધર્માંતરણ સિવાય જે પણ ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યા છે તેને રોકી શકાય.

by Bipin Mewada
Conversion will stop in Chhattisgarh, Hindutva will get strength, Sai government will bring this new law soon.. Know what Congress said

News Continuous Bureau | Mumbai  

Chhattisgarh: છત્તીસગઢમાં બળજબરીથી થતા ધર્માંતરણ ( Conversion ) પર પ્રતિબંધ લાગવા જઈ રહ્યા છે. વિષ્ણુ દેવ સાંઈની ( Vishnu Deo Sai )  આગેવાની હેઠળની સરકાર ધર્મ સ્વતંત્ર બિલ લાવવા જઈ રહી છે. જેના કારણે રાજ્યમાં થઈ રહેલ કથિત ગેરકાયદે ધર્માંતરણ બંધ થશે. વાસ્તવમાં, બુધવારે વિધાનસભામાં બજેટ માંગણીઓ પર ચર્ચા દરમિયાન, શિક્ષણ અને સંસ્કૃતિ મંત્રી બ્રિજમોહન અગ્રવાલે કહ્યું કે ઘણા દળો ‘છત્તીસગઢની વસ્તીને બદલવા માટે કામ કરી રહ્યા છે’. તેમણે જાહેરાત કરી કે આ પ્રવૃત્તિઓને રોકવા માટે, વર્તમાન સત્ર ( parliament session ) દરમિયાન જ ‘ધર્મની સ્વતંત્રતા (સુધારા) બિલ’ ( Freedom of Religion (Amendment) Bill ) નામનું ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ( BJP ) છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને કોંગ્રેસ ( Congress ) સરકારને ઘેરી હતી. ભાજપનો આરોપ છે કે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણની રમત ચાલી રહી છે. જો કે કોંગ્રેસ પાર્ટી પણ આ અંગે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. છત્તીસગઢમાં ધર્માંતરણના મુદ્દે કોંગ્રેસે કહ્યું હતું કે આરોપો કરવાને બદલે સરકારે રાજ્યમાં કેટલા ચર્ચ છે અને કોની સરકાર હેઠળ આ ચર્ચ બાંધવામાં આવ્યા છે તે અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.

 ભાજપે વારંવાર જાહેરાત કરી છે કે, દેશમાં થતાં બળજબરીથી પ્રેરિત ધર્માંતરણને સમાપ્ત કરવામાં આવશે..

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ખુદ મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ખ્રિસ્તી મિશનરીઓ પર શાળાઓ અને હોસ્પિટલો દ્વારા લોકોને ધર્માંતરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં ધર્મ પરિવર્તન કરાવતા મિશનરીઓની ટીકા કરતી વખતે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. સાઈએ રાજધાની રાયપુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શિક્ષણ અને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ખ્રિસ્તી મિશનરીઓનું વર્ચસ્વ છે. આ સાથે તેણે આરોપ લગાવ્યો હતો કે આ મિશનરીઓ તેની આડમાં વધુ ધર્માંતરણ કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આ બધું બંધ થશે ત્યારે હિન્દુત્વને મજબૂતી મળશે.

આ સમાચાર પણ વાંચો :  Maldives: ભારત સાથે વિવાદ વચ્ચે શું માલદિવ ખરેખર નાદાર થઈ ગયું? જાણો વિગતે અહીં…

દરમિયાન, મુખ્યમંત્રીના આ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસના મીડિયા પ્રભારી સુશીલ આનંદ શુક્લાએ ભાજપ અને સીએમ સાઈ પર ધર્માંતરણ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. શુક્લાએ આક્ષેપ કર્યો હતો કે લોકસભાની ચૂંટણી હોવાથી મુખ્યમંત્રી આવા નિવેદનો કરીને રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં ખરેખર ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોય તો સરકારે પગલાં લેવા જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More