Site icon

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. એક મીડિયા રિપોર્ટના દાવા મુજબ તેમના બે ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ તેમનામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા છે. બે ડ્રાઈવરો ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગુરુવારે દિવાળીના એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપી હતી.

અજિત પવારના પરિવારે બારામતીમાં દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સુપ્રિયા સુલે અને ધારાસભ્ય રોહિત પવાર પણ હાજર હતા, પરંતુ અજિત પવાર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અજિત પવારમાં કોરોનાના લક્ષણો છે, તેથી તેમને કાર્યક્રમમાં સામેલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અજીત પવારનો રિપોર્ટ આવવાનો બાકી છે.  

આ પ્રસંગે શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે કોરોનાના કેસ ઘટાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ સુધરશે અને અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે.

 

 

Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા!
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Bihar: બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ જાહેર: 20 નવેમ્બરે ગાંધી મેદાનમાં ભવ્ય સમારોહ, PM મોદી પણ આપશે હાજરી
Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Exit mobile version