Site icon

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. એક મીડિયા રિપોર્ટના દાવા મુજબ તેમના બે ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ તેમનામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા છે. બે ડ્રાઈવરો ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગુરુવારે દિવાળીના એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપી હતી.

અજિત પવારના પરિવારે બારામતીમાં દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સુપ્રિયા સુલે અને ધારાસભ્ય રોહિત પવાર પણ હાજર હતા, પરંતુ અજિત પવાર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અજિત પવારમાં કોરોનાના લક્ષણો છે, તેથી તેમને કાર્યક્રમમાં સામેલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અજીત પવારનો રિપોર્ટ આવવાનો બાકી છે.  

આ પ્રસંગે શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે કોરોનાના કેસ ઘટાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ સુધરશે અને અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે.

 

 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version