ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ નવા આદેશ મુજબ હવે મહારાષ્ટ્રમાં બનનાર ઓક્સિજન પૂર્ણ પણે મેડિકલ યુઝ માટે સરકારને આપવો પડશે. એટલે કે ૧૦૦ ટકા ઓક્સિજન સરકાર લઈ લેશે. આ સંદર્ભે અગાઉ સરકારે આદેશ બહાર પાડીને ૮૦ ટકા રાજ્ય સરકાર માટે જ્યારે કે 20% ઇન્ડસ્ટ્રી માટે રિઝર્વ હોવાની વાત કરી હતી. હવે સરકારે ફેરવી તોળ્યું છે.
મહારાષ્ટ્રમાં કુલ ૩૧ કંપની ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાંથી ૭ – ૮ કંપનીઓ મોટી માત્રામાં ઓક્સિજન બનાવે છે. બીજી તરફ માત્ર 71 એવી એજન્સી છે જે ઓક્સિજન રીફીલ કરી આપે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાત અને છતિસગઢ થી ઓક્સિજન આયાત કરવો પડે છે. આથી ઓક્સિજનના મામલે સ્વાવલંબી બનવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે.
રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….