ઓક્સિજનની ભારે અછત સર્જાતા સરકારે બહાર પાડ્યો નવો આદેશ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ નવા આદેશ મુજબ હવે મહારાષ્ટ્રમાં બનનાર ઓક્સિજન પૂર્ણ પણે મેડિકલ યુઝ માટે સરકારને આપવો પડશે. એટલે કે ૧૦૦ ટકા ઓક્સિજન સરકાર લઈ લેશે. આ સંદર્ભે અગાઉ સરકારે આદેશ બહાર પાડીને ૮૦ ટકા રાજ્ય સરકાર માટે જ્યારે કે 20% ઇન્ડસ્ટ્રી માટે રિઝર્વ હોવાની વાત કરી હતી. હવે સરકારે ફેરવી તોળ્યું છે. 

મહારાષ્ટ્રમાં કુલ ૩૧ કંપની ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાંથી ૭ – ૮ કંપનીઓ મોટી માત્રામાં ઓક્સિજન બનાવે છે. બીજી તરફ માત્ર 71 એવી એજન્સી છે જે ઓક્સિજન રીફીલ કરી આપે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાત અને છતિસગઢ થી ઓક્સિજન આયાત કરવો પડે છે. આથી ઓક્સિજનના મામલે સ્વાવલંબી બનવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે.

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More