Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં અપાયેલી પાઘડીને લઈને સર્જાયો વિવાદ-જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મંગળવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રની(Maharashtra) મુલાકાતે હતા. પૂણેની મુલાકાત(Pune visit) દરમિયાન તેમને આપવામાં આવેલી પાઘડીને(Turban) લઈ અગાઉ વિવાદ સર્જાયો હતો. જોકે બાદમાં પાઘડીમાં ફેરફાર કરવામાં આવતા વિવાદ શાંત પડી ગયો હતો.

Join Our WhatsApp Community

મંગળવારે મોદી પુણેમાં સંત તુકારામ મહારાજના(Sant Tukaram Maharaj) મંદિરના ઉદઘાટન સમારોહમાં(Opening Ceremony) હાજર રહ્યા છે. આ પ્રસંગે  તેમને એક પાઘડી ભેટમાં આપવામાં આવી હતી. પહેલા આ પાઘડીને લઈને વિવાદ સર્જાયો હતો.  ભેટમાં આપવામાં આવનારી પાઘડીને ખાસ ડિઝાઈન(Turban designs) કરવામાં આવી હતી અને તેના પર અભંગ( ભક્તિ કવિતાનો એક પ્રકાર છે)ની કેટલીક લાઈનો લખાયેલી હતી. જેની સામે દેહૂ સંસ્થાને વિરોધ કર્યો હતો. એ પછી જોકે આ લાઈનો બદલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મમતા દીદીને મોટો ઝટકો- આ બે પાર્ટીએ વિપક્ષી દળોની આજની બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી-જાણો કઈ છે તે પાર્ટી 

જાણીતા પાઘડી ડિઝાઈનર(Turban designer) મુરુદકર ઝેંડેવાલેએ(Murudkar Zendewale) પાઘડી ડિઝાઇન કરી હતી અને તેનો ઓર્ડર દેહૂ મંદિરના(Dehu temple) ટ્રસ્ટીએ આપ્યો હતો. આ પાઘડી પર પહેલા લખવામાં આવ્યુ હતુ કે, .ભલે તરી દેઉ કાસેચી લંગોટી, નાઠાલાચે માથી હાણૂ કાઠી.આ પંકતિઓ સંત તુકારામની છે. જેનો અર્થ થાય છે કે, જેનો વ્યવહાર સારો છે તેની સાથે સારૂ થશે અને જે ખરાબ વર્તન કરે છે તેને એવો જ જવાબ મળશે.

આ લાઈનો સામે વાંધો ઉઠાવાયા બાદ જોકે આ લાઈન બદલાવી નાંખવામાં આવી હતી. મોદીને આપવામાં આવેલી  પાઘડી પર હવે લખવામાં આવ્યું છે કે, વિષ્ણુમય જગ વૈષ્ણવાંચા ધર્મ. ભેદાભેદ ભ્રમ અમંગલ..
 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version