Site icon

અમ્ફાન નામનું વાવાઝોડું આવ્યું અને વિનાશ વેરતું ગયું, 12 લોકોના મોત NDRF ની ટીમ રાહત કામમાં જોડાઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

21 મે 2020 

અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું હતું. કહેવાય છે કે 21 વર્ષ પછી આવું સૌથી ઝડપી તોફાન આવ્યું છે. આ પહેલા 1999 માં ઓરિસ્સાના સમુદ્ર કિનારે વાવાઝોડું અથડાયું હતું. કાલથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપથી ફૂંકાઇ રહેલા પવનોના કારણે મોટુ નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. તો ગરીબોના કાચા મકાનો અને ઝૂંપડાઓ પણ આ પવનમાં ધરાશાયી થઇ ગયા છે. આમ જેની દહેશત હતી એ તોફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તબાહી મચાવી ને ગયું છે બંને રાજયોમાં મળીને 12 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચક્રવાતના પવનનું જોર એટલું બધું હતું કે ઓરિસ્સા અને બંગાળના લોકો ને થોડો સમય કયામત નો અનુભવ થયો હતો. જ્યારે તોફાન શમ્યુ તો કલકત્તાના રસ્તાઓ પર બધું વેરવિખેર પડ્યું હતું શહેરમાં ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા અને વાહનો હોડીની જેમ તરી રહ્યા હતા. આ ચક્રવાત નું તોફાન શમ્યા બાદ એન.ડી.આર.એફ અને રાહત દરે ટીમો તરત જ કામે લાગી ગઈ હતી તૂટેલા ઝાડ અને હોર્ડિંગ્સ રસ્તાઓ પરથી હટાવી દીધા હતા જોકે વીજળીના થાંભલાની ઉભા કરી ફરી પાવર કાર્યરત કરતા થોડો સમય જરૂર લાગ્યો હતો..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version