ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભારતીય હવામાન વિભાગે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટીય ક્ષેત્રમાં યેલો એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આના કારણે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનનું ઝડપી હોવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં ચક્રવાતના કારણે ભારે વરસાદની આશંકા વર્તાવાઈ છે.
આ ચક્રવાતને ગુલાબ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, આ ચક્રવાતી તોફાન શનિવાર અને રવિવારે બે દિવસ સુધી સક્રિય રહી શકે છે. સોમવારે આ ચક્રવાત કમજોર થવાની સંભાવના છે.
મોદી સરકારનું ટેન્શન વધ્યું! આ તારીખે રહેશે ભારત બંધ, સંયુક્ત કિસાન મોર્ચાએ કરી જાહેરાત
