Site icon

‘નિસર્ગ ગયું’ મુંબઈ માથેથી મોટું સંકટ ટળ્યું, જોકે વરસાદના ઝાપટા, પવનના સૂસવાટા ચાલુ રહેશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

3 જુન 2020

ભારત હવામાન ખાતા (આઈએમડી) એ મંગળવારે જણાવ્યું હતું કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત 'નિસર્ગ' મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ પ્રયાણ કરી છે, અને 3 જૂને મુંબઈની નજીક ત્રાટકશે.. આથી મુંબઈગરા સહિત સરકાર, હવામાન વિભાગ થઈ લઈ NDRF સહીના લોકોને એલર્ટ કરી દેવાયાં હતા. 

જોકે નિસર્ગ બુધવારે બપોરે મુંબઇથી 94 kms દક્ષિણમાં અલીબાગની નજીક 100-110 કિ.મી.ની ઝડપે ત્રાટકયુ હતું જેની અસર મુંબઈ, ગુજરાત અને અન્ય પડોશી રાજ્યો સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓને થઈ છે. આ અંગે હવામાનશાસ્ત્ત્રી એ કહ્યું હતું કે “વાવાઝોડાને લઈ મુંબઈ માટે જે ભીતી હતી તે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ આજે રાત સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ પવન 50 કિ.મી પ્રતિ કલાકથી વધુ રહેશે નહીં".જોકે વરસાદના ઝાપટાં અને પવનના સૂસવાટા ચાજુ જ રહેશે જેને લીધે મુખ્ય પ્રધાને પણ મુંબઈના રહેવાસીઓને કહ્યું છે કે" જોરદાર પવન ફુંકાવાને કારણે શક્ય છે કે વીજ કાપનો સામનો કરવો પડે તો તૈયાર રહેવા જણાવ્યું હતું, શક્ય હોય તો ઇમરજન્સી લાઇટ્સ હાથમાં રાખવાનું સુચન કર્યું છે. 

ભારત હવામાન ખાતા (આઈએમડી) ઉમેર્યું હતું કે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર હતાશા 14.4 N અને રેખાંશ 71.2 E ની નજીક છે, જે પંજીમથી 300 કિ.મી. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં, મુંબઇથી 505 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ અને સુરતથી 770 કિ.મી. દક્ષિણ-પશ્ચિમ દિશામાં છે.

નોંધનીય છે કે એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ ધરાવતા બે રાજ્ય, ગુજરાત અને મહારાષ્ટ્ર એક અતિશય દબાણમાં છે. જોક મુંબઇ માથે ટોળાતું સંકટ ટળી જતાં બધાયે રાહતનાં શ્વાસ લીધા છે..

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version