Site icon News Continuous Bureau | Mumbai

Dahisar Firing : અભિષેક ઘોસાલકરની હત્યા બાદ શિંદે સરકાર એક્શન મોડ પર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લીધો આ મોટો નિર્ણય..

Dahisar Firing : મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે શુક્રવારે શિવસેના (UBT)ના નેતા અભિષેક ઘોષલકરની હત્યાની નિંદા કરી હતી અને તેને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીમાં ચાલી રહેલી ગેંગ દુશ્મનાવટ પર દોષી ઠેરવ્યો હતો.

Dahisar Firing Abhishek ghosalkar murder eknath shinde fadnavis orders weapon license holders will be investigated

Dahisar Firing Abhishek ghosalkar murder eknath shinde fadnavis orders weapon license holders will be investigated

News Continuous Bureau | Mumbai

Dahisar Firing : શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર અને ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar)  દહિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે અભિષેક ઘોસાલકરની ગોળી મારીને હત્યા કરનાર મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha ) પણ આત્મહત્યા કરી લીધી હતી. દરમિયાન એક અઠવાડિયામાં વધુ એક હત્યાનો મામલો સામે આવતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ( Law and order ) સામે સવાલો ઉઠી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

સ્થાનિક રાજકીય વર્તુળોમાં સ્વ-ઘોષિત

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મોરિસ નોરોન્હા દહિસર-બોરીવલી વિસ્તારમાં એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવતો હતો. મોરિસ સ્થાનિક રાજકીય વર્તુળોમાં સ્વ-ઘોષિત નેતા તરીકે જાણીતા હતા. ગુરુવારે (8 ફેબ્રુઆરી) સાંજે અભિષેક ઘોસાલકરે મોરિસ સાથે ફેસબુક લાઈવ કર્યું. આ ફેસબુક લાઈવ દરમિયાન મોરિસે અભિષેક ઘોસાલકર પર પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાં તેનું મોત થયું હતું. અભિષેક ઘોસાલકર ફેસબુક લાઈવ દ્વારા લોકો સાથે વાત કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા, “આ તો માત્ર શરૂઆત છે. અમારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.” આ વાતચીત બાદ અભિષેક ઘોસાલકર ઉભા થયા. તે જ સમયે મોરિસે તેના પર પાંચ ગોળી ચલાવી હતી.

પોલીસ આ મામલે કરી રહી છે તપાસ

રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનામાં ગોળીબાર અને હત્યાની અનેક ઘટનાઓ જોવા મળી છે. તેથી વિપક્ષ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ જ રીતે રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે રાત્રે વર્ષા બંગલામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ( Eknath Shinde ) મળ્યા હતા. હથિયાર લાયસન્સ ધારકો પોતાના હથિયારનો દુરુપયોગ કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. આથી પોલીસ હથિયાર પરવાના ધારકોને બોલાવીને પૂછપરછ કરશે. તે જ સમયે, માહિતી સામે આવી છે કે મોરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાલકર પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી પિસ્તોલ ગેરકાયદેસર ( Illegal Weapon ) રીતે ખરીદી હતી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસે ( Mumbai Police ) મોરિસને કોઈ હથિયારનું લાયસન્સ આપ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મુંબઈ લોકલ ટ્રેનની નીચે ફસાઈ ગયો એક મુસાફર, તેને બચાવવા લોકોએ કર્યું આ કામ, જુઓ દિલ જીતી લેનારો વીડિયો..

ઘોસાલકર હત્યા કેસ બાદ વિપક્ષે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ઘોસાલકર પર ગોળીબાર કરનાર મોરિસ નોરોન્હાનો ફોટો શેર કરીને સીધો મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો છે. આ આરોપોનો જવાબ આપવા માટે ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે પત્રકાર પરિષદ યોજી હતી. આ સમયે સામંતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છે. રાજ્યમાં જેમની પાસે હથિયાર છે તેમની હવે પૂછપરછ કરવામાં આવશે. આ હથિયારો લાયસન્સ સાથે લઇ જવાયા છે કે લાયસન્સ વગર, તેની તપાસ, પૂછપરછ કરવાના મુખ્યમંત્રીએ આવા આદેશો આપ્યા છે.

ક્રાઈમ સીન પરથી પુરાવા એકત્ર

દરમિયાન, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દત્તા નલાવડેએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા હથિયારના સ્ત્રોત અને તેની કાનૂની સ્વીકૃતિ શોધી રહ્યા છીએ. ગોળીબાર બાદ ઘટનાસ્થળેથી બે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમે હાલમાં ક્રાઈમ સીન પરથી પુરાવા એકત્ર કરી રહ્યા છીએ. તેમજ ફેસબુક લાઈવ અને અન્ય કેટલાક પુરાવાઓ તપાસમાં લેવામાં આવશે.

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version