Site icon News Continuous Bureau | Mumbai

કુતુબ મિનારમાં હવેથી આ ધર્મના લોકોને પૂજા માટે પ્રવેશ મળશે નહીઃ કોર્ટે આપ્યો ચુકાદો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શનિવાર.

દિલ્હી જગપ્રસિદ્ધ કુતુબ મિનારમાં હિંદુ અને જૈન દેવતાઓની મૂર્તિના અભિષેક અને પૂજા કરવા માટે મંજૂરી માગતી એક અરજી  દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જોકે આ અરજીને ફગાવી દીધી છે. હિંદુ અને જૈન ધર્મના લોકોને કુતુબ મિનારમાં મૂર્તિની પૂજા કરવાનો અધિકાર આપો એવી અરજી એક એડવોકેટે દિલ્હીની કોર્ટમાં કરી હતી. કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટે અને કુતુબ પરિસરમાં રહેલા મંદિરને તેને સોંપવા માટે ટ્રસ્ટ કાયદા 1882 મુજબ યોગ્ય આદેશ આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

આ અરજી મુજબ મોહમ્મદ ધોરીના સૈન્યના સેનાપતિ કુતુબુદ્દીન એબકને 27 મંદિર અડધા તોડી પાડયા હતા અને તેમાની સામગ્રી ફરી વાપરીને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બાંધી હતી. 

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 27 મંદિરના મુખ્ય દેવતા, જ્યોત પ્રમુખ દેવતા તીર્થંકર ભગવાન ઋષભદેવ અને પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી ગૌરી, ભગવાન સૂર્ય, ભગવાન હનુમાનનો તેમા સમાવેશ થાય છે. તેથી તે પરિસરમાં પ્રતિષ્ઠાપના અને પૂજા કરવાનો અધિકાર છે.

ઓમીક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત, આ તારીખ સુધી અમલમાં રહેશે; જાણો વિગતે 

જોકે કોર્ટે ભૂતકાળની ભૂલનો આધાર માનીને વર્તમાન અને ભવિષ્યની શાંતતા બગાડો નહીં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી.  

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version