Site icon

લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Covid19 Pandemic) દરમિયાન લોકડાઉનના(Lockdown) નિયમોનું પાલન ન કરનારા પ્રવાસીઓ સામે દિલ્હીમાં(Delhi) નોંધાયેલા કેસો રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંગળવારે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેનાએ(Vijaykumar Saxena) દિલ્હી સરકારના(Delhi Govt)  ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશન(Director Of  prosecution)  દ્વારા લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન(rules VIlation) કરવા બદલ 64 મુસાફરો સામે નોંધાયેલા 15 કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

Join Our WhatsApp Community

 દિલ્હી પોલીસને(Delhi POlice) 100 થી વધુ મુસાફરોને સંડોવતા આ 10 કેસોમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. માનવીય અને તર્કસંગત અભિગમ અપનાવતા, વિનય કુમાર સકસેનાએ કહ્યું હતું કે કે ગરીબ પ્રવાસીઓ દ્વારા રોગચાળા સંબંધિત લોકડાઉનનું ઉલ્લંઘન એ ભારે તકલીફની સ્થિતિમાં તેમના દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ હોઈ શકે છે.

આ નિર્ણયથી આરોપીઓને બિનજરૂરી હેરાનગતિ અને રઝળપાટથી બચાવી શકાશે. તેમણે આ નિર્ણય મહામારી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં મુસાફરોની અસહાય સ્થિતિને ધ્યાનમાં રાખીને અને સુપ્રીમ કોર્ટના 09 જૂન 2022ના આદેશ અનુસાર લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજીએ પાડ્યો પૈસાનો વરસાદ- 1-5 લાખ કરોડની બોલી- હજી હરાજી ચાલુ છે- જાણો વિગત

રોગચાળા દરમિયાન લોકડાઉનને કારણે, ઘણા પ્રવાસીઓએ તેમની આજીવિકાનું સાધન ગુમાવ્યું હતું, તેમની પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા અને તેમની રોજીરોટી માટે પણ કંઈ નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ (51) હેઠળ આવા 43 કેસ છે, જેમાં પરપ્રાંતિય મજૂરો પર રસ્તા પર જઈને લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ 43 કેસોમાંથી, 18 કેસો હજુ સુધી સંબંધિત અદાલતો દ્વારા પતાવટ/ન્યાય આપવામાં આવ્યા નથી. આવા 15 કેસોમાં જ્યાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, વિનય કુમારે ડિરેક્ટોરેટ ઑફ પ્રોસિક્યુશનને સીઆરપીસીની કલમ (321) હેઠળ કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. બાકીના 10 કેસમાંથી સાત એવા છે કે જેમાં ચાર્જશીટ દાખલ થવાની બાકી છે અને ત્રણ કેસમાં આરોપીઓની ઓળખ થઈ શકી નથી. આ મામલામાં વિનય કુમારે દિલ્હી પોલીસને ક્લોઝર રિપોર્ટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version