Site icon

મહારાષ્ટ્ર સરકાર કોવિડ-19 રોકવામાં અસફળ, દેવેન્દ્ર ફડણવીસે વિરોધ પ્રદર્શન કરી 50,000 કરોડના પેકેજની માંગ કરી.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 મે 2020

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગઈ હોવાના વિરોધમાં મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ સાથીદાર વિનોદ તાવડે અને મુંબઇ ભાજપ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સહિત પાર્ટીના અનેક નેતાઓ સાથે નરીમન પોઇન્ટ પર રાજ્ય પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતાઓએ માસ્ક પહેરી અને સામાજિક દૂરીનું પાલન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્ય સરકારને અસંગઠિત ક્ષેત્રના ખેડૂત, મજૂરો અને કામદારો માટે 50,000 કરોડના પેકેજની જાહેરાત કરવાની માંગ કરી હતી. લોકડાઉન વચ્ચે ખેડૂતોની સ્થિતિ વિશે બોલતા તેમણે કહ્યું: "ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ખરીફ સીઝન શરૂ થઈ રહી છે. ખેડૂતો પાસે પૈસા નથી. ગામડામાં અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે સરકારે રૂ. 50 હજાર કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ." મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું: "દર્દીઓ સમયસર એમ્બ્યુલન્સ મેળવતા નથી. તેઓ 8 કલાક રસ્તાઓ પર બેસીને મરી જાય છે, ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં ખોરાક મળતો નથી અને હોસ્પિટલોમાં પથારી નથી. ખાનગી હોસ્પિટલો લાખોમાં ચાર્જ લે છે અને ગરીબ લોકો સારવાર ખર્ચ કરી શકતા ન હોવાથી  ફડણવીસે COVID-19 દર્દીઓની નિ: શુલ્ક સારવારની માંગ કરી અને કહ્યું કે કોરોનાના લક્ષણોવાળા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવા જ જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા પલંગની વ્યવસ્થા સરકારના દરે કરવામાં આવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં 1,18,447 કેસ નોંધાયા છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 41,642 કેસ નોંધાયા છે. મુંબઈમાં 25,000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે..

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version