Site icon

મુંબઈ શહેર માટે મોટા સમાચાર: હવે કોરોના માટે અલગ અલગ જગ્યાએ નહીં જતા માત્ર 1916 નંબર પર ફોન લગાડો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 મે 2020

મહારાષ્ટ્ર અને મુંબઈમાં જેમ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, એ જોતાં રાજ્ય સરકાર પણ સજ્જ થઈ રહી છે, મુંબઈની 33 ખાનગી હોસ્પિટલોમાં થી કુલ 80 ટકા બેડ અને આઇસીયુના સો ટકા બેડ પોતાના તાબામાં લીધા છે. આમ હવે મુંબઈમાં 5644 જેટલા વધુ બેડની વ્યવસ્થા થઈ શકી છે. જેમાંથી 2624 બેડ માત્રને માત્ર કોરનાનહદર્દીવઓ માટે બુક રહેશે જ્યારે ત્રણ હજાર વીસ જેટલા બેડ સામાન્ય બીમારી માટે ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત માહિતી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહલ દ્વારા આપવામાં આવી છે. મનપાના કમિશ્નરના જણાવ્યા મુજબ કરોનાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં બીકેસી માં 1000 બેડ ની સેવા ઉપલબ્ધ કરાવતા હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમ જ રેસકોર્સ, દહીસર, ગોરેગાંવ અને મૂલૂંડમાં પણ આવા સ્વાસ્થ્ય સેન્ટરો શરૂ કરવામાં આવશે.

 હવે મુંબઈગરાઓએ કોરોનાના લક્ષણો જણાતા એક જ નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર છે '1916' આ નંબર પર 24×7 કોરોના ને લગતી સમસ્યાનો ઉકેલ આપવામાં આવશે. નોંધનીય છે કે 1916 નંબર પર અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો મદદ મેળવી ચૂક્યા છે..

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version