Site icon

મરાઠા અનામત અને બે રાજેની મુલાકાત; બંને વચ્ચે થઈ આ મુદ્દે સહમતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મરાઠા અનામતના મુદ્દે સાંસદ સંભાજી રાજે છત્રપતિ અને સાંસદ ઉદયન રાજે ભોસલે આજે પુણેમાં મળ્યા હતા. બેઠક બાદ સંભાજી રાજે છત્રપતિએ મીડિયાને કહ્યું હતું કે મરાઠા અનામત અંગે અમારી સહમતી છે. બીજી તરફ ઉદયન રાજેએ કહ્યું હતું કે તેઓ મરાઠા અનામતને લઈને સંભાજી રાજેના આંદોલનનું સમર્થન કરે છે. સંભાજી રાજેએ કહ્યું, "અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મરાઠા અનામત અંગે અમારે સર્વસંમતિ છે.” તો "અમે બંને એક જ પરિવારના છીએ. હું સંભાજી રાજેનાં મંતવ્યો સાથે સંમત છું. હું તેમના આંદોલનને સમર્થન આપું છું.” એવી પ્રતિક્રિયા સાંસદ ઉદયન રાજે ભોસલેએ આપી હતી.

સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મરાઠા અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે અનામત મુદ્દાઓ પર રાજ્યનો પ્રવાસ કર્યો અને ઘણા રાજકીય નેતાઓને મળ્યા. એથીમરાઠા અનામતના મુદ્દે બંને નેતાઓ ક્યારે સર્વસંમતિ પર પહોંચશે એ પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે. આજે બંને રાજા મરાઠા આરક્ષણના મુદ્દા પર ચર્ચા કરવા માટે ભેગા થયા હોવાથી આ બેઠકમાં મરાઠા સમુદાયનું ધ્યાન આકર્ષિત થયું હતું.

ઉલ્લેખનીય છે કે સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મરાઠા અનામત માટે આંદોલન કરવાની હાકલ કરી છે. રાયગઢ ખાતે 6 જૂને રાજ્યાભિષેક સમારોહ બાદ સંભાજી રાજે મરાઠા અનામત અંગે પોતાની ભૂમિકા રજૂ કરી હતી. સંભાજી રાજેએ કહ્યું કે મરાઠા અનામત આંદોલન 16 જૂનથી કોલ્હાપુરના રાજર્ષિ શાહુ મહારાજની સમાધિથી શરૂ થશે.

ઠાકરે સરકાર થી નાખુશ રાજ્યની 70 હજારથી વધુ આશા વર્કરો આવતી કાલે ઉતરશે હડતાલ પર ; આ છે માંગણી

ઉપરાંત અજિત પવાર આજે સવારે ન્યુ પેલેસમાં છત્રપતિ શાહુ મહારાજને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંભાજી રાજેના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય માલોજી રાજે છત્રપતિ પણ હાજર હતા.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version