મહારાષ્ટ્ર વિધાનસભાના આ દિગ્ગજ નેતાનું મોટું નિવેદન, કહ્યું- 3 બાળકો ધરાવતા MP-MLAના સભ્યપદ રદ કરવામાં આવે,

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવારે કહ્યું કે ભારત હવે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી ગયું છે. કેન્દ્ર સરકારે તેની સત્તાનો ઉપયોગ કરીને એવા સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદ રદ કરી દેવા જોઇએ જેમના 3 કે તેનાથી વધુ બાળકો છે.

by kalpana Verat
Maharashtra Political Crisis: Discussions of Ajit Pawar becoming the Chief Minister have increased uneasiness in Shiv Sena, will present the complaint before the Coordination Committee: Source

News Continuous Bureau | Mumbai

પાડોશી દેશ ચાલાક ચીનને પછાડીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ છે, જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે અને તે બીજા ક્રમ આવી ગયું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આગામી ત્રણ દાયકા સુધી વસ્તી વધારો ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ શકે છે.  આ અંગે કેટલાક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવારે રવિવારે પૂણેના બારામતીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતની વસ્તી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત હવે વસ્તીના મામલે ચીનને પાછળ છોડી ગયું છે. કેન્દ્ર સરકારે તેની સત્તાનો ઉપયોગ કરીને એવા સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદ રદ કરી દેવા જોઇએ જેમના 3 કે તેનાથી વધુ બાળકો છે. આવા સંજોગોમાં ધારાસભ્યોને પણ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા જોઈએ.

અજિત પવારે કહ્યું- “મારા દાદા કહેતા હતા કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણા દેશની વસ્તી 35 કરોડ હતી. જ્યારે હવે દેશની વસ્તી 142 કરોડ થઈ ગઈ છે અને તેના માટે આપણે જવાબદાર છીએ.”

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો

અજિત પવારે બે દિવસ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમણે પાર્ટીના તમામ નેતાઓને આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના દેશ, રાજ્ય અને પ્રદેશના ભલા માટે એક કે બે બાળકો જન્મ્યા પછી રુકી જવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો હોય તેમને કોઈપણ પ્રકારની છૂટ આપવી જોઈએ નહીં.

પવારે કહ્યું- “જ્યારે વિલાસરાવ દેશમુખ રાજ્યના મુખ્ય પ્રધાન હતા, ત્યારે અમે આ નિર્ણય લેતી વખતે ભયભીત થઈ ગયા હતા કે જિલ્લા પરિષદો અને ગ્રામ પંચાયતોની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને બે કરતાં વધુ બાળકો હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવશે.”

લોકોએ પૂછ્યું કે આ નિયમ સાંસદો અને ધારાસભ્યોને કેમ લાગુ નથી થતો. મેં તેમને કહ્યું કે તે આપણા હાથમાં નથી. તે કેન્દ્રના હાથમાં છે અને અમે કેન્દ્ર પાસેથી તેની માંગણી કરી રહ્યા છીએ. પવારે કહ્યું કે જો બેથી વધુ બાળકો ધરાવતા લોકોને કોઈ છૂટ આપવામાં નહીં આવે તો લોકો આ મુદ્દે વધુ જાગૃત થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More