સુરતમાં ભાજપના કાર્યક્રમ હોવાથી સામાન્ય પ્રજા માટે રસ્તો બંધ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

ગુરુવાર

સુરત શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા લોકો કે જેઓ અડાજણ, રાંદેર, પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે તેઓને ઉધના દરવાજાથી ડાબી સાઇડે રોકડિયા હુનુમાન મંદિરથી કેનાલ રોડ થઈને અણુવ્રત દ્વાર થઈને સિટીલાઇટ એસવીએનઆઈટીથી પાલ ઉમરા બ્રિજ થઈને જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, લોકોને ૩થી ૪ કિલોમીટરનો ચકરાવો થશે. રાંદેર અડાજણ તરફથી રિંગ રોડ કે રેલવે સ્ટેશન તરફ આવવા માંગતા લોકોને પણ ઉપરના રૂટથી જ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જવાની અપીલ કરાઈ છે, તેથી તેમને પણ ૩થી ચાર કિલોમીટરનો ફેરો વધી જશે. રેલવે સ્ટેશનેથી ગોતાલાવાડી ડાબી સાઇડે યુ-ટર્ન લઈને બ્રિજ ચઢીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ થઈને તેમજ આંતરિક રસ્તાઓ થઈને આવવા-જવા અપીલ કરી છે, તેના કારણે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.૨૪મીને બુધવારે શહેરના વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખવા અપીલ કરી છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 

શક્તિ મિલ ગેંગરેપ કેસ: દોષીઓને નહીં ચડાવાય ફાંસીના માંચડે, બોમ્બે હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More