News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ મધ્ય રેલવેના ( West Central Railway ) ભોપાલ ( Bhopal ) ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ ( Non-interlocking ) કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad Division ) પસાર થતી કેટલીક ટ્રેનો ( Trains ) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:
- 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ઉધના-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુર ના માર્ગ પર થી દોડશે.
- 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી બરોની થી દોડતી ટ્રેન સંખ્યા 19484 બરોની અમદાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નિશાતપુરા-ભોપાલ-ઇટારસિ-ખંડવા-જલગાંવ-ઉધના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા નિશાતપુરા-સંત હિરદારામ નગર-નાગદા-છાયાપુરી-આણંદ ના માર્ગ પર થી દોડશે .
- 26 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન સંખ્યા 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ઉધના-જલગાંવ-ખંડવા-ઇટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા ના માર્ગ પર થી દોડશે.
- 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી જબલપુરથી દોડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-કટની મુદ્વારા-બીના-ભોપાલ ના માર્ગ પર થી દોડશે.
- 17 થી 27 ઓક્ટોબર 2023 સુધી, વેરાવળથી દોડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-બીના-કટની મુદ્વારા-જબલપુર ના માર્ગ પર થી દોડશે.
સ્ટોપેજ, રૂટ, સમય અને ટ્રેનની રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..