News Continuous Bureau | Mumbai
PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( PM-KISAN ) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને ( farmer ) કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થી ( Beneficiary ) ખેડુતોને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ફરજિયાત આધાર E-KYC કરવાનુ હોવાથી દેશભરમાં તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનું ( nationwide campaign ) આયોજન કરાયું છે.
તેથી જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી ( E-KYC ) બાકી હોય તેમણે ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર ( CSC ) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ( Aadhar Card ) ઓટીપીના ઉપયોગથી તેમજ જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી ઈ-કેવાયસી કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સુરતની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો : Surat: સુવાલી દરિયા કિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલનું આયોજન, આ તારીખે લોકગાયક કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.