Site icon

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત, ગુજરાત સરકાર આ તારીખે સુધી ચલાવશે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ

PM Kisan Yojana: PM-KISAAN યોજના હેઠળ લાભાર્થીઓના E-KYC માટે તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ. ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, PM કિસાન મોબાઈલ એપ કે આધાર OTPની મદદથી E-KYC કરી શકાશે. PM –KISAAN યોજનાનાં ૧૬માં હપ્તાનો લાભ લેવા લાભાર્થી ખેડૂતોએ આધારસીડીંગ અને E-KYC કરાવવું ફરજિયાત

E-KYC mandatory for farmer beneficiaries of PM Kisan Samman Nidhi, Gujarat govt to run nationwide campaign till this date

E-KYC mandatory for farmer beneficiaries of PM Kisan Samman Nidhi, Gujarat govt to run nationwide campaign till this date

News Continuous Bureau | Mumbai 

PM Kisan Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ( PM-KISAN ) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડુત ખાતેદારને ( farmer ) કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અંતર્ગત લાભાર્થી ( Beneficiary ) ખેડુતોને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ફરજિયાત આધાર E-KYC કરવાનુ હોવાથી દેશભરમાં તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનું ( nationwide campaign )  આયોજન કરાયું છે. 

Join Our WhatsApp Community

તેથી જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી ( E-KYC ) બાકી હોય તેમણે ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર ( CSC ) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા, PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર ( Aadhar Card ) ઓટીપીના ઉપયોગથી તેમજ જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી ઈ-કેવાયસી કરી શકાશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સુરતની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Surat: સુવાલી દરિયા કિનારે બે દિવસીય બિચ ફેસ્ટિવલનું આયોજન, આ તારીખે લોકગાયક કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version