Site icon News Continuous Bureau | Mumbai

Earthquake : ઉત્તરાખંડના ઉતરકાશીમાં મધરાત્રે આવ્યો ભૂકંપ, તીવ્રતા એટલી હતી કે લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા..

earthquake : દેવભૂમિ ઉત્તરાખંડની ઉત્તરકાશીમાં મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે આંચકો આવ્યો ત્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા. અચાનક ધરતી ધ્રૂજવાથી કેટલાક લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 હતી.

Earth Shook Again In Uttarkashi, Intensity Measured 3.1 On Richter Scale

Earth Shook Again In Uttarkashi, Intensity Measured 3.1 On Richter Scale

News Continuous Bureau | Mumbai

Earthquake : ઉત્તરાખંડ (Uttarakhand) માં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. આ ભૂકંપના (earthquake) આંચકા ઉત્તરકાશીના સિલ્ક્યારા વિસ્તારમાં પણ અનુભવાયા હતા. આ એ જ વિસ્તાર છે જ્યાં સુરંગમાં 40 મજૂરો ફસાયેલા છે, જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. જોકે સદનસીબે જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર રાજધાની દેહરાદૂન(Dehradun)થી લગભગ 140 કિલોમીટર દૂર હતું. 

Join Our WhatsApp Channel

3.1ની તીવ્રતાનો ભૂકંપ 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટર પર લખ્યું, ’16-11-2023ના રોજ 02:02:10 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનું અક્ષાંશ 31.04, લંબાઈ 78.23 અને ઊંડાઈ 5 કિલોમીટર હતી. સ્થાન- ઉત્તરકાશી, ઉત્તરાખંડ, ભારત (India). 

હજુ પણ ફસાયેલા છે મજૂરો 

તમને જણાવી દઈએ કે ઉત્તરકાશીમાં 12 નવેમ્બરની સવારે ચારધામ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ટનલનો એક હિસ્સો ધસી ગયો હતો. આ કાટમાળમાં 40 મજૂરો દરેક ક્ષણે મોત સામે લડી રહ્યા છે. સારી વાત એ છે કે અત્યારે તમામ 40 કામદારો સુરક્ષિત હોવાનું કહેવાય છે. સુરંગના પ્રવેશદ્વારથી લગભગ 200 મીટર દૂર 40 મજૂરો ફસાયેલા છે. તેની આગળ 50 મીટર સુધી કાટમાળ ફેલાયેલો છે. બચાવ ટીમ માટે આ સૌથી મોટો પડકાર છે કારણ કે ટનલનો તે ભાગ ઘણો નબળો છે.

આ સમાચાર પણ વાંચોઃ Oil for dry skin : શિયાળામાં ચહેરા પર લગાવો આ 4 તેલ, ત્વચા બનશે સુંદર અને મુલાયમ.. 

ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 

ઉલ્લેખનિય છે કે અગાઉ 3 નવેમ્બરે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ઉત્તરાખંડના લોકોએ બેથી ત્રણ આંચકા અનુભવ્યા હતા. દૂનમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર નેપાળના જાજરકોટ જિલ્લાના પંક ગામમાં હતું. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 6.4 માપવામાં આવી હતી. ભૂકંપનો પહેલો આંચકો રાત્રે 11.32 કલાકે અનુભવાયો હતો.

 

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
Uttan Virar Sea Link Delhi Expressway Connection મુંબઈ માટે ગેમચેન્જર સમાન પ્રોજેક્ટ, ઉત્તણવિરાર સી લિંક સીધો આ એક્સપ્રેસવે સાથે થશે કનેક્ટ
Bihar Teacher Recruitment Paper Leak બિહાર શિક્ષક ભરતી પેપર લીક કાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઇન્ડ ડો. મનીષની ધરપકડ
Exit mobile version