Site icon

ઠાકરે V/S શિંદે: ધનુષ અને તીર પ્રતીક માટે આ તારીખ સુધીમાં દસ્તાવેજો જમા કરવા ચૂંટણી પંચનો આદેશ

Thackeray, Shinde factions of Shiv Sena face off at party office in BMC

મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) ના નેતૃત્વમાં થયેલા બળવો બાદ શિવસેના (Shivsena) બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. જે બાદ શિવસેનાના ધનુષ અને તીર (party symbol) નું પ્રતીક ચૂંટણી પંચે ફ્રીઝ કરી દીધું હતું. પરંતુ ઠાકરે જૂથ (Thackeray Group) અને શિંદે જૂથ દ્વારા શિવસેનાના ધનુષ અને તીર પ્રતીકનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવાની પુષ્ટિ કરવા માટે, કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission Of India) હવે બંને જૂથોને 23 નવેમ્બર સુધીમાં દસ્તાવેજો સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.



Join Our WhatsApp Community

ચૂંટણી પંચે 12 નવેમ્બરે બંને જૂથોને પત્ર મોકલીને દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું છે. તેમજ ચૂંટણી પંચે બંને જૂથોને પંચને આપેલા દસ્તાવેજોની આપ-લે કરવા સૂચના આપી છે. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો જૂથો દ્વારા 23 નવેમ્બર સુધીમાં કોઈ દસ્તાવેજો સબમિટ કરવામાં નહીં આવે, તો તેમની પાસે કહેવા માટે કંઈ નથી તેવું માનવામાં આવશે અને સુનાવણીની તારીખ નક્કી કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: સામાન્ય નાગરિકો પાસે પણ ટૂંક સમયમાં ડિજિટલ કરન્સી હશે, રિઝર્વ બેંકએ આ ચાર બેંકોને કરી શોર્ટલિસ્ટ. જુઓ લિસ્ટ..

ઉલ્લેખનીય છે કે ઠાકરે જૂથ દ્વારા પાર્ટીના ચિહ્ન અને પાર્ટીના નામને ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને મંગળવારે હાઈકોર્ટે ફગાવી દીધી છે. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે કોર્ટ ચૂંટણી પંચના નિર્ણયમાં દખલ ન કરી શકે. આથી ચૂંટણી પંચના નિર્ણય પર ટકી રહેશે.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version