Site icon News Continuous Bureau | Mumbai

ED Attack : પશ્ચિમ બંગાળમાં બબાલ.. TMC નેતાના ઘરે છાપો મારવાં પહોંચેલી EDની ટીમ પર થયો હુમલો, વાહનોનીકરી તોડફોડ…

ED Attack : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનાના સંદેશખાલી ગામમાં શુક્રવારે સવારે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ટીમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી.

ED Attack ED team conducting raids in West Bengal attacked by over 100 locals

ED Attack ED team conducting raids in West Bengal attacked by over 100 locals

 News Continuous Bureau | Mumbai

ED Attack : પશ્ચિમ બંગાળ ( West Bengal ) માં દરોડા પાડી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) ટીમ પર આજે સવારે હુમલો થયો હતો. રાજ્યના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ ( TMC ) ના નેતા વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે EDની ટીમ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના ઘરે દરોડા 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન કૌભાંડના મામલામાં ED તપાસ ચાલી રહી છે. તેના ભાગરૂપે, ED અધિકારીઓ આજે સવારથી તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ શાહજહાં શેખ અને શંકર આદ્યાના ઘરો તેમજ તેમના સંબંધીઓના ઘરો અને ઓફિસોની તપાસ કરી રહ્યા હતા. અધિકારીઓ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ હતા. શરૂઆતમાં EDની એક ટીમ કેટલીક જગ્યાએ સર્ચ કર્યા બાદ શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. ત્યારે ગ્રામજનોના ટોળા દ્વારા EDની ટીમને ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ ED અધિકારીઓ તેમજ કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોની પણ તોડફોડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Indian Navy : સોમાલિયા નજીક જહાજ થયું હાઇજેક! 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ છે સવાર, નેવી INS ચેન્નાઈ થયું રવાના..

ED અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને દુર્વ્યવહાર 

જ્યારે ED અધિકારીઓ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે કેટલીક મહિલાઓ સહિત સેંકડો ગ્રામજનો સ્થળ પર એકઠા થયા હતા. તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને ED અધિકારીઓને અપશબ્દો બોલવા લાગ્યા. તેઓએ અધિકારીઓ પર પણ હુમલો કર્યો અને એક વાહનને નુકસાન પહોંચાડ્યું. હિંસક ટોળાના ડરથી EDના અધિકારીઓએ સ્થળ પરથી ભાગી જવું પડ્યું હતું. આ જ જિલ્લામાં આદ્યા અને તેના સંબંધીઓના ઘરો અને ઓફિસો પર પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. 

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા નથી – અધિરંજન ચૌધરી

દરમિયાન કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ આ ઘટનાની સખત નિંદા કરી છે. અધિરંજનનો આરોપ છે કે શાસક પક્ષના ગુંડાઓએ આ કર્યું. આ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા નથી. ED અધિકારીઓએ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પગલાં લેવા જોઈએ. તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે અધિકારીઓ આજે ઘાયલ થયા છે, આવતીકાલે તેમની હત્યા થઈ શકે છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Exit mobile version