Site icon

મ્હાડાના રહેવાસીઓને મોકલાવેલી બાકી ભાડાની વસુલાત નોટિસ પર ઇડી સરકારે મુક્યો સ્ટે…

દક્ષિણ મુંબઈમાં મ્હાડાના ભાડાના મકાનોમાં હજારો પરિવારોને મોટી રાહત મળી છે. તાજેતરમાં મ્હાડાએ આ મકાનોમાં રહેતા 20,000 થી વધુ પરિવારોને મોકલાવેલી બાકી ભાડાની વસૂલાત માટે નોટિસ પર સ્ટે મૂક્યો છે. આ 20 હજાર પરિવારોમાં કુલ મળીને લગભગ એક લાખ લોકો રહે છે

Mumbai MHADA Lottery wait is over! Draw on July 18

Mumbai MHADA Lottery wait is over! Draw on July 18

News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈમાં મ્હાડાના ભાડાના મકાનોમાં હજારો પરિવારોને મોટી રાહત મળી છે. તાજેતરમાં મ્હાડાએ આ મકાનોમાં રહેતા 20,000 થી વધુ પરિવારોને મોકલાવેલી બાકી ભાડાની વસૂલાત માટે નોટિસ પર સ્ટે મૂક્યો છે. આ 20 હજાર પરિવારોમાં કુલ મળીને લગભગ એક લાખ લોકો રહે છે. મ્હાડાના મુંબઈ મકાન અને સમારકામ પુનઃનિર્માણ બોર્ડે દક્ષિણ મુંબઈમાં નવીનીકરણ કરાયેલ ઈમારતોના 20,000 થી વધુ રહેવાસીઓને બાકી સેવા ચાર્જની ચુકવણી માટે નોટિસ પાઠવી હતી. જેમાં તેમને 70 થી 80 હજાર રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું

Join Our WhatsApp Community

મ્હાડાની આ નોટિસ બાદ તેમના બેઘર થવાનો ખતરો હતો. આવી સ્થિતિમાં આ મકાનોમાં રહેતા રહેવાસીઓએ આ નોટિસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અને હાઉસિંગ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ નોટિસ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  હવામાન વિભાગનો વર્તારો : મહારાષ્ટ્રમાં આ તારીખથી શરૂ થશે કાતિલ ઠંડી, થીજવા તૈયાર થઈ જજો

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્હાડા દ્વારા મકાનોનું ભાડું બમણું કરવાની સાથે મ્હાડાએ અનેક લોકોને નોટિસ મોકલી હતી. ખાસ કરીને ગિરગામ, વર્લી અને લોઅર પરેલમાં જે લોકોએ ભાડું ચૂકવ્યું નથી તેમને નોટિસ ગઈ હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જો મકાનનું બાકી ભાડું ચૂકવવામાં ન આવે તો મકાન ખાલી કરાવવામાં આવશે. નોટિસ અનુસાર, દરેક રહેવાસીને 70,000 થી 80,000 રૂપિયાનો દંડ અને ટેક્સ સહિત ઘરનું બાકીનું ભાડું ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ગિરગાંવમાં લગભગ 20,000 પરિવારોને આવી નોટિસ મોકલવામાં આવી હતી. મ્હાડાની આ ઈમારતોમાં રહેતા ભાડૂતોને 2018 પહેલા ભાડા તરીકે દર મહિને 250 રૂપિયા ચૂકવવા પડતા હતા. 2018 થી મ્હાડાએ આ ભાડું 100% વધાર્યું હતું.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version