News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં વર્તમાન સરકાર(current government) છ મહિનામાં પડી શકે છે,એવી ભવિષ્યવાણી રાષ્ટ્રવાદી કોંગેસના(NCP) પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) કરી છે. શિંદે-ફડણવીસની(Shinde-Fadnavis) સરકાર તૂટી પડશે, તેથી પેટાચૂંટણીની(By-election) તૈયારીઓ શરૂ કરો તેમણે પોતાના ધારાસભ્યોને એવી સૂચના પણ આપી છે.
તાજેતરમાં એનસીપીના ધારાસભ્યોની(NCP MLA) બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે NCP પ્રમુખ શરદ પવારે ધારાસભ્યોને માર્ગદર્શન આપતાં શરદ પવારે કહ્યું કે રાજ્યમાં શિંદે સરકાર (Shinde Government) લાંબો સમય ટકશે નહીં. આ સરકાર પાંચથી છ મહિના ચાલશે. તેથી મધ્યસત્ર ચૂંટણી(Midterm elections) માટે તૈયાર થઈ જાઓ. જો તમે વિપક્ષી બેંચ(Opposition Bench) પર બેસવાના હોવ તો પણ મતવિસ્તારને મહત્તમ સમય આપો.
આ સમાચાર પણ વાંચો : શિવસેના નેતા સંજય રાઉતને માઠી બેઠી- વધુ એક મુશ્કેલી આવી સામે- હવે આ કેસમાં જારી થયું વોરંટ
શરદ પવારે નવી બનેલી સરકારમાં શિવસેનાનો પક્ષ છોડી શિંદેના ગ્રુપ સાથે જોડાયેલા લોકો બાબતે કહ્યું હતું કે શિંદે સરકારમાં અસંતુષ્ટ લોકોની મોટી ફોજ છે. આ નારાજગી કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) બાદ સામે આવશે. તેથી બળવાખોર ધારાસભ્ય સ્વગૃહ પરત ફરે તેવી શક્યતા છે. જો સરકાર પડી તો મધ્યસત્ર ચૂંટણી થશે, માટે અત્યારથી તૈયારી કરો.