News Continuous Bureau| Mumbai.
શિવસેના(Shivsena) નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) સમક્ષ ત્રણ શરતો મૂકી છે. શિંદેનું કહેવું છે કે શિવસેનાએ તાત્કાલિક રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે ગઠબંધન(Alliance) તોડી નાખવું જોઈએ તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર બનાવવી જોઈએ. તેમણે પોતાની બીજી શરત(condition) એવી મૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resignation) આપવું જોઈએ તેમજ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુખ્યમંત્રી બનાવીને ખુદ પોતાને એટલે કે એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી(Deputy CM) બનાવવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે
એકનાથ શિંદે ની આ શરતો શિવસેના(Shivsena Chief) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસે પહોંચી ગઈ છે. આ શરતો સાંભળીને એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદે આસાનીથી માનશે નહીં.