Site icon News Continuous Bureau | Mumbai

રાજકીય ઘર્ષણ વચ્ચે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓને આયકર વિભાગે ફટકારી નોટિસ.. જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 સપ્ટેમ્બર 2020 

એક બાજુ જયારે સંસદ માં સરકાર અને વિપક્ષ સામે લડાઈ ચાલી રહી છે. ત્યારે એવામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને આયકર વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ ગઈ વખતે આપવામાં આવેલા સોગંધનામાંને લઈને આપવામાં આવી હતી. માત્ર શરદ પવાર જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે, NCP નેતા સુપ્રિયા સૂલેને પણ આયકર વિભાગ તરફથી નોટિસ ફટકારાઈ છે. મળતી જાણકારી મુજબ આયકર વિભાગ દ્વારા છેલ્લી અમુક ચૂંટણીઓમાં દાખલ કરવામાં આવેલા સોગંધનામાઓની જાણકારી માંગવામાં આવી છે. નોટિસ બાબતે શરદ પવારને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યુ હતુ કે તેઓ (નોટિસ ફટકાવનારા) અમુક લોકોને કંઈક વધારે જ ચાહે છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં દિવસોથી શરદ પવાર અને શિવસેના તરફથી તાજેતરમાં જ પાસ થયેલા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ નોટિસનો મુદ્દો સામે આવવાથી નેતાઓઓમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધપાત્ર વાત છે કે કૃષિ બિલ પહેલા સુશાંત સિંહ રાજપુત કેસ, કંગના રનૌત ઉપર બીએમસી એક્શન અને કોરોના સંકટ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના, એનસીપીની સરકાર સામસામે આવી ગઈ છે.

Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Exit mobile version