શું વાત છે? આઝાદી પછી છેક અત્યારે આ ૨૩ ગામમાં ચૂંટણી થઈ રહી છે – જાણો ચોંકાવનારો કિસ્સો

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

આઝાદીના ૭૩ વર્ષ બાદ વનટાંગિયા ગામમાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. ૨૦૧૭ પહેલાં વનટાંગિયા ગામ રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો ધરાવતા નહતા. સરકારની કોઈ યોજનાઓનો લાભ તેમને મળતો ન હતો. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને રાજસ્વ ગામનો દરજ્જો આપ્યો અને સરકારની યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચાડ્યો. હવે ગોરખપુર અને મહારાજગંજના ૨૩ વનટાંગિયા ગામમાં પ્રથમ વખત ચુંટણી થશે અને ત્યાના લોકો પોતાના ગામની સરકાર બનાવી શકશે. જેમાં ગોરખપુરના પાંચ અને મહારાજગંજના ૧૮ ગામનો સમાવેશ થાય છે.

 

વનટાંગિયા ગામ અંગ્રેજોના શાસન વખતે ૧૯૧૮ આસપાસ સ્થાપવામાં આવ્યા હતા. આ ગામો સ્થાવનો હેતુ વૃક્ષારોપણ કરી વનક્ષેત્રને વધારવાનો હતો. અહીં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ઉપલબ્ધ જગ્યામાં ખેતી છે.  ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ હમેશાં દિવાળી અહીં ઉજવે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More