મોઢામાં થયેલા જખમને કારણે, જંગલમાં ભૂખે મર્યો એક હાથી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

23 જુન 2020 

પાછલા થોડા દિવસોથી દેશના વિવિધ વિસ્તારમાંથી હાથીઓના માર્યા જવાના સમાચારો આવી રહયા છે આ વચ્ચે કોઈમ્બત્તુર જિલ્લામાં મો ની ઇજા થી પીડાતા 12 વર્ષિય જંગલી હાથીનું અવસાન થયું છે. જિલ્લાના વન વિસ્તારમાં સારવાર વેળા દમ તોડી દીધો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા હાથીના મોંમાં એક ડાળખી અટવાઇ હતી, જેના કારણે તે ખાવામાં અસમર્થ હતો અને ઘણા દિવસોથી ભૂખે મારતો હતો. મળતી માહિતી મુજબ પેરિયાનીકૈનપલયમ વન વિસ્તારમાં પુરુષ હાથીને થયેલી ઇજા વિશેની માહિતી મળ્યા બાદ, વન વિભાગના અધિકારીઓ અને એક પશુ ચિકિત્સકે કેળા જેવા હળવા ફળોમાં એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સ આપીને તેની સારવાર શરૂ કરી હતી.

જોક કે આ દરમિયાન જ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે હાથીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના થોડા દિવસો પહેલા કેરળમાં બે હાથીઓના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમણે વિસ્ફોટકોથી ભરેલા ફળ ખાધા હતા, જેના કારણે તેમના મોમાં ઘા થઈ ગયા હતા. જો કે, કેરળની ઘટનાથી વિપરીત, આ કેસ અકસ્માતને કારણે થયેલી ઇજાનો છે.…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More