Site icon News Continuous Bureau | Mumbai

શરમજનક; મહારાષ્ટ્રમાં વધારાનાં ૧૧ હજાર મૃત્યુ નોંધાયાં જ નથી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્ય સરકારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, મૃત્યુ ટોલ પૉર્ટલ પર 11,617 વધારાનાં મોત નોંધાયાં નથી. સંબંધિત જિલ્લા સર્જનોને રજિસ્ટ્રેશન ન કરાવવાની સ્થિતિમાં કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એકવાર રેકૉર્ડ પૂર્ણ થયા બાદ રાજ્યમાં મૃત્યુઆંકમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો થવાની સંભાવના છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ રાજ્યમાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦થી ૨૦ મે સુધીમાં થયેલાં11,617 મૃત્યુની નોંધણી પૉર્ટલ પર થઈ નથી. રાજ્યના અપર મુખ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે અધિકારીઓના વોટ્સઍપ ગ્રુપમાં આ બાબતે મૅસેજ કરી અધિકારીઓનું ધ્યાન આ તરફ દોર્યું હતું.

બિલ્ડર હવે મન મરજી મુજબ માળ નહીં ચડાવી શકે; આવી ગયો આ કડક નિયમ

ઉલ્લેખનીય છે કે આ નોંધણી ન થયેલાં11,617 મૃત્યુમાંથી સૌથી વધુ 5,768 મૃત્યુ પુણેમાં થયાં છે. મુંબઈમાં આ સંખ્યા 1,604,ઔરંગાબાદમાં 1086, નાગપુરમાં 1,893 છે તેમ જ નાસિકમાં આ આંકડો 427નો છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version