Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો

 News Continuous Bureau | Mumbai 

પંજાબ(Punjab)માં મોટી કાર્યવાહી કરતા ભગવંત માન સરકારે(AAP govt) કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સાધુ સિંહ ધરમસોત(Sadhu Singh Dharamsot)ની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Channel

પૂર્વ મંત્રીની પંજાબના અમલોહમાંથી વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તેમના પર પંજાબ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. 

તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં વન અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

જોકે કેપ્ટન અમરિંદર સિંહે ખુરશી ગુમાવતા ધરમસોતને પણ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભગવંત માન(Punjab CM Bhagwat Mann)ની આગેવાની હેઠળની AAP સરકારે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં તેમના આરોગ્ય પ્રધાન ડૉ. વિજય સિંગલાને હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો

Kaushambi Firecracker Blast કૌશામ્બીના ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, ૭ લોકોના મોત; અનેક મકાનો ધરાશાયી
Ankit Baliyan Murder Case અંકિત બાલિયાન મર્ડર કેસમાં મોટું એક્શન! જિમ બહાર હત્યાના ૫ જ દિવસમાં પોલીસે બે મુખ્ય શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા
Ashok Cooperative Bank RBI ની મોટી કાર્યવાહી મહારાષ્ટ્રની આ બેન્ક પર છ મહિના માટે વિવિધ નાણાકીય પ્રતિબંધો લાગુ, ખાતામાંથી શકે નાંણા
Maharashtra Politics મુંબઈ મહાનગરપાલિકાની લડાઈ રોચક બની મેયરપદ કબજે કરવા શિંદે જૂથનું ‘ઓપરેશન ટાયગર’, ૪ મોટા નેતાઓ મેદાને
Exit mobile version