Site icon

ફરી જામીન થયા નામંજૂર, મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટથી લાગ્યો ઝટકો

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે શહેરની આબકારી નીતિ સંબંધિત કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દિલ્હી લિકર પોલિસી કૌભાંડની તપાસ કરી રહી છે

Excise policy scam: Delhi High Court denies bail to AAP leader Manish Sisodia

ફરી જામીન થયા નામંજૂર, મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટથી લાગ્યો ઝટકો

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે શહેરની આબકારી નીતિ સંબંધિત કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દિલ્હી લિકર પોલિસી કૌભાંડની તપાસ કરી રહી છે. જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ AAP નેતાને જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તેમની સામેના આરોપો ખૂબ ગંભીર છે. આ કેસમાં સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

હાઈકોર્ટે જામીન કેમ ન આપ્યા

હાઈકોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે સિસોદિયા એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને જો તેમને જામીન પર છોડવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય નહીં. સીબીઆઈએ હાલમાં રદ થયેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22માં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં પૂછપરછના ઘણા રાઉન્ડ પછી સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાએ નીચલી કોર્ટના 31 માર્ચના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને મસાલેદાર ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ, ફટાફટ નોંધી લો રેસિપી

મનીષ સિસોદિયા પર શું છે આરોપ

કોર્ટે સિસોદિયાની જામીન અરજીને ફગાવી દેતાં કહ્યું કે સિસોદિયા આ કેસમાં ગુનાહિત કાવતરા પાછળનો મુખ્ય સૂત્રધાર હતા અને તેમણે દિલ્હી સરકારમાં પોતાને અને પોતાના સહયોગીઓ માટે આશરે 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરું ઘડવામાં “સૌથી મહત્ત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા” ભજવી. સિસોદિયા આ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ કસ્ટડીમાં છે.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version