Site icon News Continuous Bureau | Mumbai

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન

લેન્ડિંગ પૂર્વે જ આકાશમાં લડખડાયું વિમાન: ૨૦૦ ફૂટ ઊંડી ખાઈમાં પટકાતા જ ૫ પ્રચંડ વિસ્ફોટ થયા, અજિત પવાર સહિત ૫ લોકોએ જીવ ગુમાવ્યા; સમગ્ર મહારાષ્ટ્ર સ્તબ્ધ

Ajit Pawar Plane Crash મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત બારામતીમાં ભીષણ

Ajit Pawar Plane Crash મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત બારામતીમાં ભીષણ

News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે આ દુનિયામાં નથી. મુંબઈથી બારામતી જઈ રહેલું તેમનું વિમાન બુધવારે લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું. વિમાન લેન્ડિંગ વખતે ખેતરમાં અથડાયું અને સંપૂર્ણપણે બળી ગયું. અજિત પવાર સહિત પાંચેય લોકોના મોત થયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે લથડી ગયું અને થોડીવારમાં જ ક્રેશ થઈ ગયું.

આકાશમાં જ ગુમાવ્યું સંતુલન

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન જ્યારે રનવે તરફ ઉતરી રહ્યું હતું ત્યારે જ તે આકાશમાં લડખડાવા લાગ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે પાયલોટે વિમાન પરથી કાબૂ ગુમાવી દીધો છે. હવાઈ પટ્ટી (Landing Strip) પર ઉતરવાને બદલે વિમાન બાજુના ખેતર તરફ ફંટાઈ ગયું હતું.

Join Our WhatsApp Channel

૨૦૦ ફૂટ ઊંડી ખાઈ અને ૫ પ્રચંડ વિસ્ફોટ

એક ગામવાળા એ જણાવ્યું કે, વિમાન હવાઈ પટ્ટીથી આશરે ૩ કિલોમીટર પહેલા જ નીચે પડ્યું અને ૨૦૦ ફૂટ ઊંડી ખાઈમાં જઈ પટકાયું. જમીન સાથે અથડાતાની સાથે જ વિમાનમાં એક પછી એક ૫ મોટા ધડાકા થયા હતા. વિમાન પળવારમાં આગનો ગોળો બની ગયું હતું. ગ્રામીણો ડોલ લઈને પાણી છાંટવા દોડ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કોઈ નજીક જઈ શક્યું નહીં.

આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.

બારામતી એસપી (રૂરલ) નું નિવેદન

બારામતી એસપી સંદીપ સિંહે જણાવ્યું કે, “લેન્ડિંગ વખતે કંઈક ગરબડ હોવાનું દેખાઈ રહ્યું હતું. અમે ઘટનાસ્થળેથી મૃતદેહો કબજે કરીને હોસ્પિટલ મોકલી આપ્યા છે. વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે.” અકસ્માત સ્થળે ચારેબાજુ વિમાનનો કાટમાળ વિખરાયેલો પડ્યો છે અને સતત ધુમાડો નીકળી રહ્યો છે.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version