લો બોલો! ખેડૂતે ગાંજાની ખેતી કરવાની માંગી મંજૂરી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કર્યો ઈમેલ. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022

સોમવાર.

મહારાષ્ટ્ર સરકારે સુપર માર્કેટમાં વાઈનના વેચાણને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ટીકા થઈ રહી છે ત્યારે સરકારના મંત્રી તરફથી આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોને તેનો ફાયદો થશે એવો સરકારનો દાવો છે. તેની સામે એક ખેડૂતે તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવા માટે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને મંજૂરી માગી છે.

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

મહારાષ્ટ્રના નાંદેડના એક ખેડૂતે મુખ્ય પ્રધાનને ઈ-મેલ કરીને તેને ગાંજાની ખેતી કરવાની મંજૂરી આપવાની માગણી કરી છે. રાજ્યમાં ખેડૂતો પર આર્થિક સંકટ આવી પડયું છે. કોવિડ, કમોસમી વરસાદ અને કડકડતી ઠંડી જેવા વિચિત્ર વાતાવરણને કારણે ખેતરોમાં પાકને મોટા પાયા પર નુકસાન થયું છે. 
તેથી ખેડૂતોને ગાંજો ઊગાડવાની મંજૂરી આપવામાં આવે, તેથી તે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે એવો દાવો ખેડૂતે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં કર્યો છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More