Site icon

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આવતીકાલે ભારત બંધનું એલાન.. જાણો કઇ 11 રાજકીય પાર્ટીઓએ આપ્યું છે સમર્થન?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

07 ડિસેમ્બર 2020

આવતી કાલે એટલેકે 8 ડિસેમ્બરએ ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધમાં 10 ટ્રેડ યુનિયનો અને 11 રાજકીય પક્ષો જોડાશે. 

ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકાર કાયદાઓ રદ ન કરવા મક્કમ છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચમી વાર થયેલી બેઠક પણ નિષ્ફળ રહયાં બાદ આવતી કાલે દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. જેમાં  શિવસેના, કોંગ્રેસ, આપ, TRS, સમાજવાદી પક્ષ, DMK, CPM, CPI, TMC, RJD, SAD જેવા 11 વિપક્ષી પાર્ટીએ સમર્થન કર્યું છે. 

આવતીકાલે ભારત બંધના એલાનને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોની પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે. સાથે જ રાજ્યોના DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ જારી કરવામાં આવ્યાં છે. બંધ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ ને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે. આમ કેદ્ર સરકાર પણ સજ્જ છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version