Ram Navami: આખરે મમતા બેનર્જીને યાદ આવ્યા ‘રામ’, પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત હવે રામ નવમી પર જાહેર રજા રહેશે

Ram Navami: આ પહેલીવાર હશે જ્યારે પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર રજા હશે. તે દિવસે ઈમરજન્સી સેવાઓ સિવાયની તમામ સરકારી સંસ્થાઓ બંધ રહેશે. ટીએમસીની મોટી રેલીના એક દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.

by Hiral Meria
Finally Mamata Banerjee remembers 'Ram', for the first time in West Bengal now there will be a public holiday on Ram Navami..

News Continuous Bureau | Mumbai

Ram Navami: પ્રથમ વખત, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ( Mamata Banerjee ) આગેવાની હેઠળની ટીએમસી સરકારે રામ નવમીના અવસર પર જાહેર રજાની ( Public Holiday ) જાહેરાત કરી છે. આ વખતે રામ નવમી 17 એપ્રિલે છે. પરંતુ મમતા બેનર્જી સરકાર દ્વારા રજાની જાહેરાત પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે આ બધુ ચૂંટણી સ્ટંટ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર ન થઈ હોવા છતાં, રાજકીય વર્તુળોમાં ચૂંટણીનું રણશિંગુ વાગી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી પોતપોતાનો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે. અને આ રાજકારણ વચ્ચે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રામ નવમી પર રજા જાહેર કરી છે. હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ચૂંટણી સ્ટંટ છે કે પછી મમતા બેનર્જીનું ખરેખર હૃદય પરિવર્તન થયું છે.

નોંધનીય છે કે, આ પહેલીવાર હશે જ્યારે પશ્ચિમ બંગાળમાં ( West Bengal ) રામ નવમી પર રજા હશે. તે દિવસે ઈમરજન્સી સેવાઓ સિવાયની તમામ સરકારી સંસ્થાઓ બંધ રહેશે. ટીએમસીની ( TMC rally ) મોટી રેલીના એક દિવસ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. રામ નવમીની રજા દર્શાવે છે કે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કેટલું દબાણ છે. આ તે જ પશ્ચિમ બંગાળ છે, જ્યાં ગયા વર્ષે રામ નવમી અને હનુમાન જયંતિ પર સરઘસની મંજૂરી આપવામાં આવી ન હતી. રામ નવમીના પવિત્ર અવસર પર હિંસા થતી હતી. પરંતુ હવે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા મમતા સરકારે રામ નવમી પર રજા જાહેર કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Share Market: રોકાણકારો થયા માલામાલ, 16 વર્ષમાં 20 વખત ડિવિન્ડ, 980% વળતર.. જાણો ક્યો છે આ સ્ટોક..

  ગત વર્ષે પણ રામ નવમી પર કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. ..

ગત વર્ષે પણ રામ નવમી પર કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં ભાજપે આરોપ લગાવ્યા હતા કે, મમતા બેનર્જી સરકાર ધાર્મિક સરઘસ કાઢવાના લોકોના અધિકાર પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીની આ જાહેરાત બાદ બીજેપી નેતા અમિત માલવિયાએ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે.

અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, મમતા બેનર્જી જ્યારે પણ ‘જય શ્રી રામ’ સાંભળતા ત્યારે ગુસ્સે થઈ જતા હતા, તેમણે પશ્ચિમ બંગાળમાં રામ નવમીને જાહેર રજા જાહેર કરી છે. તેણે પોતાની હિંદુ વિરોધી ઈમેજના કારણે આવું કર્યું છે. જોકે ઘણું મોડું થઈ ગયું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો ન થાય. શું તેઓ આ કરી શકશે? જય શ્રી રામ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More