મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીને જનઆશીર્વાદ રેલીમાં ઉદ્ધવ ઠાકરને અપશબ્દો કહેવા પડ્યા ભારે, પોલીસે આપ્યા ધરપકડના આદેશ ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ઑગસ્ટ, 2021

મંગળવાર 

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. 

મુખ્યમંત્રીનું અપમાન કરવાને લઈને નારાયણ રાણેની વિરુદ્ધ નાસિકમાં FIR નોંધવામાં આવી છે.

સાથે જ નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચિપલુણ જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ 153 અને 505 હેઠળ દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોંકણના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવ ને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

 સરકારી સંપત્તિઓના વેચાણને લઈને નાણાપ્રધાન સીતારમણે કરી મોટી જાહેરાત, જમીન સિવાયનું આ બધું વેચાશે; જાણો શું શું વેચવા કાઢ્યું મોદી સરકારે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More