Site icon

Gujarat: ગુજરાતના વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં લાગી આગ, મુસાફરો ઉતરીને ભાગ્યા, જુઓ વિડીયો..

Gujarat: ગુજરાતના વલસાડમાં શનિવારે હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ટ્રેન તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે ચાલે છે, જેના એક કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનાને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

Fire broke out in the generator coach of the Humsafar super fast train Near Valsad

Fire broke out in the generator coach of the Humsafar super fast train Near Valsad

News Continuous Bureau | Mumbai 

Gujarat : ગુજરાતના ( Gujarat ) તિરુચિરાપલ્લી ( Tiruchirappalli ) અને શ્રી ગંગાનગર ( Sri Ganganagar ) વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસમાં ( Humsafar Express ) આગ ( fire ) લાગી હતી. આગ લાગ્યા બાદ ટ્રેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના વલસાડ જિલ્લામાં ( Valsad district ) બની છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

પાવર કાર/બ્રેક વાન કોચમાં આગ અને ધુમાડો

માહિતી અનુસાર, તિરુચિરાપલ્લી જંક્શનથી શ્રી ગંગાનગર જંક્શન તરફ જતી ટ્રેન નંબર 22498ની પાવર કાર/બ્રેક વાન કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. ધુમાડાના ગોટેગોટા જોઈને ગભરાટ ફેલાઈ ગયો હતો. બાજુના કોચના તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચો : Bhikaiji Cama: વિદેશની ધરતી પર રહી દેશ માટે સમગ્ર જિંદગી ન્યોચ્છાવર કરનાર દેશની વિરાંગના મેડમ કામાને શત્ શત્ નમન

ગુજરાતના વલસાડમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે આ ટ્રેનમાંથી કોચ અલગ કર્યા બાદ તેને ટૂંક સમયમાં મોકલવામાં આવશે.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version