News Continuous Bureau | Mumbai
Gujarat : ગુજરાતના ( Gujarat ) તિરુચિરાપલ્લી ( Tiruchirappalli ) અને શ્રી ગંગાનગર ( Sri Ganganagar ) વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસમાં ( Humsafar Express ) આગ ( fire ) લાગી હતી. આગ લાગ્યા બાદ ટ્રેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના વલસાડ જિલ્લામાં ( Valsad district ) બની છે.
જુઓ વિડીયો
#Gujarat
On Saturday afternoon, the Shri Ganganagar Humsafar Express train was traveling through Gujarat when the generator carriage and an adjoining passenger car caught fire. No one was reported hurt.@NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/Iy3jQ5mxLV— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) September 23, 2023
પાવર કાર/બ્રેક વાન કોચમાં આગ અને ધુમાડો
માહિતી અનુસાર, તિરુચિરાપલ્લી જંક્શનથી શ્રી ગંગાનગર જંક્શન તરફ જતી ટ્રેન નંબર 22498ની પાવર કાર/બ્રેક વાન કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. ધુમાડાના ગોટેગોટા જોઈને ગભરાટ ફેલાઈ ગયો હતો. બાજુના કોચના તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ સમાચાર પણ વાંચો : Bhikaiji Cama: વિદેશની ધરતી પર રહી દેશ માટે સમગ્ર જિંદગી ન્યોચ્છાવર કરનાર દેશની વિરાંગના મેડમ કામાને શત્ શત્ નમન
ગુજરાતના વલસાડમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે આ ટ્રેનમાંથી કોચ અલગ કર્યા બાદ તેને ટૂંક સમયમાં મોકલવામાં આવશે.