Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ફટાકડાં ફોડવા મુદ્દે સરકારે બહાર પડાયું જાહેરનામું, જાણો રાજ્યમાં ફટાકડાં ફોડી શકાશે કે નહી ?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

07 નવેમ્બર 2020 

દેશમાં કોરોનાનું સક્ર્મણ વધી રહ્યું હોવાના કારણે દેશનાં પાંચ રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ દિવાળીમાં ગુજરાત સરકાર ફટાકડા ફોડવાની છૂટ આપશે કે, નહીં આપે તે બાબતે લોકો મૂંઝવણમાં મુકાયા હતા કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે લોકો તહેવારોની ઉજવણી ધામધૂમથી કરી શક્યા નથી. ત્યારે હવે લોકોની આ મૂંઝવણ રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે.  રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ફટાકડા ફોડવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 

જાહેરનામા ફટાકડા ફોડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફટાકડાની વિદેશથી આયાત કરવા પર પણ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફટાકડાની ગેરકાયદેસર આયાત, વેચાણ અને સંગ્રહખોરી પર લગામ કસવા માટે 144ની કલમ અનુસાર પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યો છે. લોકોએ દિવાળીની સાથે-સાથે અન્ય તહેવારો જેવા કે, ક્રિસમસ અને નૂતન વર્ષ દરમિયાન પણ ફટાકડા ફોડવા બાબતે આ તમામ સૂચનાઓનું પાલન કરવું પડશે અને જે લોકો તેનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ડૉકટરોના કહેવા અનુસાર ફટાકડાના કારણે થતો ધુમાડો કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સારા થયેલા લોકો માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. કારણ કે, કોરોના વાયરસ લોકોના ફેફસા પર સીધી અસર કરે છે અને કોરોના વાયરસના કારણે દર્દીને ફેફસા નબળા પડે છે. જેના કારણે ફટાકડાના ધુમાડાથી વ્યક્તિને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. જેના કારણે નિષ્ણાંતો દિવાળીમાં ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version