ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
છત્તીસગઢના સુખમાં અને બીજાપૂરના જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ 22 જવાનો શહીદ થયા હતા. પહેલી વખત માઓવાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ અથડામણ બાદ સુરક્ષા દળોએ ડ્રોન થી એર સ્ટ્રાઇક કરી હતી. આ એ સ્ટ્રાઈક ના માધ્યમ થી બહાર બોમ્બ પાડવામાં આવ્યા હતા. 19 તારીખે આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ માઓવાદીઓનો દાવો છે કે આ હુમલામાં તેમને કશું નુકસાન નથી થયું કારણ કે તેઓ પોતાનું સ્થાન પહેલા જ બદલી ચૂકયા હતા.
આમ પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક નો દાવો કરવામાં આવ્યો છે.
