Site icon

ગુજરાતની ‘મહાકાલ ગૌશાળા બનાવશે છાણ અને ગૌ મુત્રમાંથી ઈકો ફ્રેનડલી ગણેશની પ્રતિમાઓ.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

29 જુલાઈ 2020

ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે. હવે લોકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બન્યા છે એવા સમયે 'ઈકો ફ્રેન્ડલી' ગણેશ પર્વ મનાવવા માટે સરકાર અને ગુજરાત ગૌસેવા આયોગ પણ અપીલ કરી રહ્યું છે..

અમદાવાદના સાણંદ નજીક આવેલા ગામે 'મહાકાલ ગૌશાળા' દ્વારા આ વર્ષે ગાયના છાણમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. રોજગારી વધે, પર્યાવરની રક્ષા થાય, ગૌધન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ  બનાવી રહયાં છે. ચાલુ વર્ષે પણ અત્યાર સુધીમાં 125 જેટલી ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર થઈ ચુકી છે.

ગૌશાળા ના સેવાદારે જણાવ્યું કે, "અમે 10 ગૌ પ્રેમીઓ ભેગા મળી છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે.. જેમાં ગામની 8 જેટલી બહેનો પણ સહભાગી બની છે. આ મૂર્તિને કલર કરવા માટે પણ વિશેષ ધ્યાન આપી પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઈકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કર્યો છે." 

આ મૂર્તિઓને ભક્તજનો પ્રસ્થાપિત કરી ઘરમાં જ  વિસર્જિત કરી શકશે. વિસર્જન બાદ વધેલા અવશેષોનો ઓર્ગેનિક ખાતર તરીકે ઘરમાં મુકેલા ફૂલછોડના કૂંડામાં નાંખી ઉપયોગ કરી શકશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version